Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

મજબૂત મનોબળ અને શ્રેષ્ઠ સારવારથી કોરોનાને મહાત આપતા ઉષાબેન ભટ્ટ

રાજકોટની કેન્સર કોવિડ હોસ્પિટલમાં સ્ટાફની તમામ વ્યકિત સારવારમાં ધ્યાને આપે છે

રાજકોટઃ અહિંના કાલાવડ રોડ પર રહેતા ઉષાબેન દીલીપભાઈ ભટ્ટ અઠવાડિયા પહેલા  કોરોનાનું સંક્રમણમાં વધારે તકલીફ જણાતા સૌપ્રથમ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. તબિયતમાં થોડો સુધારો થતાં સમરસ અને બાદમાં કેન્સર કોવિડ હોસ્પિટલ ખાતે સંપૂર્ણ સારવાર મળી જતા તેઓ કોરોના મુકત થતાં તેમણે કેન્સર હોસ્પિટલના તબીબો અને સ્ટાફનો આભાર માન્યો હતો.ઉષાબેનએ જણાવ્યું હતું કે, કેન્સર કોવિડ હોસ્પિટલમાં નિયમિત તપાસ કરવામાં આવે છે. સ્ટાફની દરેક વ્યકિત દર્દીની સારવારમાં પૂરતું ધ્યાન આપે છે. હોસ્પિટલમાં સારી સારવાર મળી જતા અને તેમની તબિયત સારી થઈ જતા આજે તેમને હોસ્પિટલના સ્ટાફ દ્વારા પરિવારના માહોલમાં સ્વગૃહે જવા રજા આપવામાં આવી હતી.

(3:06 pm IST)