Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

રૈયાગામ સમાધિ સ્થાને આયોજીત ભાગવત કથામાં સાંજે સંતવાણીઃ કાલે વિષ્ણુમંડપઃ પૂ.મોરારીબાપુ આવશે

રાજકોટ : અહિંના રૈયા ગામ સાધુ સમાજના સમાધિ સ્થાને વકતા શ્રી કલ્પેશપુરીબાપુ ઉર્ફે કે.પી. બાપુ દ્વારા ભાગવત સપ્તાહનું મધુર શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે.

આ અંતર્ગત આવતીકાલે તા.૭ના મંગળવારે શ્રી વિષ્ણુ મંડપનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ વિષ્ણુ મંડપમાં વિશ્વ વંદનીય પૂ.મોરારીબાપુ ઉપસ્થિત રહીને આર્શીવચન આપશે.

આજરોજ સોમવારે સાંજે લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ. જેમાં નિરંજન પંડ્યા, હસમુખગીરી સીકાસાવાળા, યોગેશપુરીબાપુ, ભગવતીબેન ગોસ્વામી, તુલસીબેન કાપડી, ગોવિંદભાઈ હરેભા સહિત નામી અનામી કલાકારો સંતવાણી રજૂ કરશે.

તસ્વીરમાં ભાગવત કથાકાર કે.પી.બાપુ, મનસુખગીરી જી. મહંત શ્રી સર્વેશ્વર મંદિર - જામનગર, હરેશભાઈ ગોંડલીયા - શ્રી રામ ધુન યુવક મંડળ - રાજકોટ, ડો.લાલદાસભાઈ કાપડી, જગદીશગીરી ગોસ્વામી, ગૌતમગીરી ચમનગીરી, નીતીનભાઈ દાણીધારીયા, મયુરભાઈ દાણીધારીયા, ગૌતમભાઈ ગોસ્વામી, મેહુલપરી ગોસ્વામી, જનકપુરી ગોસ્વામી, ભરતગીરી ગોસ્વામી, અનોપગીરી ગોસ્વામી, રાજેશભાઈ કપડી, પિતાંબરપુરી ગોસ્વામી, નિલેશભાઈ દાણીધારીયા, નંદલાલભાઈ દાણીધારીયા, નટવરગીરી ગોસ્વામી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:38 pm IST)