Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

સામાજીક સંસ્થાઓમાંથી આવતી સહાયનો ભાજપના કાર્યકરો દ્વારા દુરપયોગઃ સાગઠીયા

રાજકોટ તા. ૬ :.. શહેરમાં આવતા હજારો ગરીબ અને નાના માણસો સરકારના અણઘડ આયોજનના પાપે છેલ્લા ૧૪ દિવસથી હેરાન - પરેશાન થઇ ગયા છે.

ભાજપના કાર્યકરો દ્વારા સામાજિક સંસ્થાઓમાંથી આવતી કીટો જે બારોબાર તેઓના મળતીયા અને કાર્યકરો સુધી જતી રહ્યાનો આક્ષેપ વિપક્ષી નેતા વશરામભઇ સાગઠીયા દ્વારા કરવામાં આવ્યો છે.

આ અંગે વશરામ સાગઠીયાએ દરેક વોર્ડના વોર્ડ ઓફીસરોને કોણે સુચના આપી છે લોકો જાય સર્વે કરે એ જ લોકોને આપ કીટો આપવાના છો? અને આ કીટો કેવી રીતે વિતરણ કરવાના છો તેનું કાંઇપણ આયોજન છે ? તેમજ કોઇ ગરીબ કે નાનો માણસ બાકી રહી જશે તો તેની જવાબદારી કોની ? તેમજ નાગરીકો ભૂખ્યા રહેશે ત્યારે કોઇ અગમ્ય બનાવ બનશે તો તેની જવાબદારી કોની ? વગેરે વેધક સવાલો મ્યુનિસીપલ કમિશનર અને રાજકોટ જીલ્લા કલેકટરને કર્યા છે.

(4:38 pm IST)