Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

વીવીપી પરિવાર દ્વારા રાહત ફંડમાં ૫૧ લાખ અર્પણ : સેવાભારતીને પણ અનુદાન

રાજકોટ : વૈશ્વિક બિમારી કોરોના સામે રક્ષણ મેળવવાના અભિયાનમાં સહભાગી બનવા વીવીપી એન્જીનીયરીંગ કોલેજ દ્વારા જીટીયુની અપીલને ધ્યાને લઇ મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં રૂ. ૨૨ લાખ તેમજ કર્મચારીઓ દ્વારા એક દિવસનો પગાર મળી રૂ. ૨૬ લાખ ઉમેરી કુલ રૂ. ૫૧ લાખ અર્પણ કરવામાં આવેલ છે. આ ચેક વીવીપીના ટ્રસ્ટી કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, વીવીપી કર્મચારી જયેશભાઇ સંઘાણી, કીરીટભાઇ શેઠના હસ્તે કલેકટર શ્રી રેમ્યા મોહનને અર્પણ કરવામાં આવેલ. તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સેવા ભારતી ગુજરાતને રૂ. ૨૫ લાખનો ચેક નરેન્દ્રભાઇ દવેને સુપ્રત કરવામાં આવ્યો હતો. તે સમયની તસ્વીરો અહીં નજરે પડે છે.

(4:33 pm IST)