Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા ગરીબોને ફુડ પેકેટનું વિતરણ

રાજકોટઃ લોકડાઉનની સ્થિતિ વચ્ચે ગરીબ વર્ગના કોઈ મજુરો ભૂખ્યા ન રહે તે માટે શહેર પોલીસ દ્વારા ફુડ પેકેટનું વિતરણ કરાઈ રહ્યુ છે. માધાપર ચોકડી ખાતે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા ટીમ દ્વારા મજુરોને ફુડ પેકેટનુ વિતરણ કરાયુ હતુ. તેમજ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ફુડ પેકેટ વિતરણની સાથે સાથે મજુરો તથા અન્ય ઉપસ્થિત લોકોને સોશ્યલ ડીસ્ટન્સ અંગે માર્ગદર્શન આપ્યુ હતું. તસ્વીરમાં ફુડ પેકેટનું વિતરણ તથા સોશ્યલ ડીસ્ટન્સ અંગે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ માર્ગદર્શન આપતા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:28 pm IST)