Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

શહેરીજનોના પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવતુ વિપક્ષ

મ્યુ.કોર્પોરેશનનાં કોંગ્રેસ કાર્યાલયમાં લોકોની સેવામાં વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયા, કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપુત તથા વિરલ ભટ્ટ ખડે પગે

રાજકોટ,તા.૬: મહાનગરપાલિકામાં આવેલ વિરોધપક્ષ કાર્યાલય હર હંમેશ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા તત્પર રહ્યું છે તેમજ લોકપ્રશ્નો નો તાત્કાલિક ઉકેલ પણ લાવવામાં આવ્યો છે.

રાજકોટ શહેર ના નાગરિકોને પડતી મુશ્કેલીઓ જેવી કે પાણી ૨૦ મીનીટ ઓછુ આવવું, ઓછા ફોર્સથી આવવું, ગંદા પાણી, ડ્રેનેજ ઉભરાવી, હેડિંગ ભરાઈ જવું, ગટર લાઈન ચોક અપ થવી, સ્ટ્રીટ લાઈટ બંધ, કચરાની ગાડી ના ધાંધીયા, ન્યુસન્સ પોઈન્ટ, કચરાના ઢગલા, આરોગ્ય લક્ષી કામગીરી, વેબસાઈટમાં વાંધા, ફોગીંગ, સેનીટાઈઝેન કામગીરી, રોડ ઉપરના ખાડા બુરવા, વગેરે જેવા પ્રજાના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે છે. વિરોધપક્ષ કોંગ્રેસ કાર્યાલયે રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત અને કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ દ્વારા મહામારી કોરોના સામે સતર્ક, સચેત રહેવા, સોસીયલ ડિસ્ટન્સ જાળવવા અને સાવધાની રાખવાની અપીલ જાહેર જનતાના આરોગ્યના હિત માટે કરવામાં આવે છે. તેમ કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલભટ્ટની યાદીમાં જણાવાયું છે.

(4:13 pm IST)