Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ગો કોરોનોઃ દેશભરની ગુરૂકુળ શાખાઓમાં દીપ ઝળહળ્યા

રાજકોટઃકોરોનાની કઠણાઈ વચ્ચે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અપીલને સહર્ષ સ્વીકારી આખા દેશે દિવાળીની જેમ દીવડા પ્રગટાવીને ઉજવી. શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટના શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ અને અનુજ્ઞા સાથે દેશભરની ગુરુકુળની શાખાઓમાં રાત્રે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ.ભારત દેશ અને દેશવાસીઓના શારીરિક રક્ષણ માટે સેવારત ને ભગવાન નીરોગી રાખે, આપણે સહુ આપણા હૃદયને હિમ્મતથી ભરીએ તેમજ આ મહામારીના સંકટમાં સેવારત પોલીસ, ડોકટરો,મીડિયા, સફાઈ તેમજ જીવન જરૂરીયાતોને પૂરી પાડનારા કર્મીઓની હિંમત તથા રાત્રે દિવસની સેવાઓને દીપક પ્રગટાવીને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના શ્રી પ્રભુ સ્વામી વગેરે સંતોએ બિરદાવી હતી.દીપ પ્રાગટ્યની સાથે જનમંગલ સ્તોત્રના પાઠ તથા સ્વામિનારાયણ મહામંત્રની ધૂન દ્વારા દસ મિનિટ સુધી ભગવાનને પ્રાર્થના કરી કે વિશ્વ પર આવેલું આ મહામારીનુ સંકટ જલ્દીથી દૂર થાય. તેવી પ્રાર્થના કરી હતી. તેમ પ્રભુ સ્વામી જણાવે છે.

(4:11 pm IST)