Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

સ્વ.સંતોકબેન ડોડીયા ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલના દર્દીઓ માટે ભોજન સેવા

રાજકોટ : માવજીભાઇ ડોડીયાની રાહબરી હેઠળ  સ્વ. સંતોકબેન ડોડીયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાલ કોરોનાના કારણે લદાયેલ લોકડાઉનની સ્થિતી વચ્ચે જરૂતમંદ લોકોને બન્ને ટાઇમ ભોજન પહોંચતુ કરવાની સેવા શરૂ કરવામાં આવી છે. ભૂતપૂર્વ ડે. મેયર અને ભાજપ અગ્રણી માવજીભાઇ ડોડીયાએ પોતાના મનહર પ્લોટ ખાતેના ડેલામાં મમતા ગ્રુપના સહયોગથી શરૂ કરાવેલ આ રસોડામાં તૈયાર થતી સામગ્રી દરરોજ વિદ્યાનગર રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલો તેમજ ગુંદાવાડી હોસ્પિટલ અને સીવીલ હોસ્પિટલ તેમજ સ્લમ વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે. દરરોજ ૧ હજારથી વધુ લોકોને ચાર વાહનોની મદદથી આ ભોજન પહોંડાવામાં આવે છે. આ સેવાયજ્ઞ માટે માવજીભાઇ ડોડીયાના માર્ગદર્શન હેઠળ પરેશભાઇ ડોડીયા, મનોજભાઇ ડોડીયા, નિમેશભાઇ ડોડીયા, રૂપેશભાઇ ડોડીયા, યોગી ડોડીયા, ગીજાભાઇ પરમાર, દિનેશભાઇ ડોડીયા, દીલીપભાઇ ચાવડા, પ્રતાપભાઇ ગોલતર, રસેસભાઇ કીયાડા, રવિભાઇ સિંધવ, રાજ સિંધવ, રણવીરસિંહ ડોડીયા, યોગેશભાઇ વોલેટર, જગાભાઇ ખોરાણા, ભુપતભાઇ સિંહવ, વોર્ડ નં. ૭ ના ભાજપના કાર્યકરો સહયોગી  બની રહ્યા છે.

(2:20 pm IST)