Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં‘‘જન ઔષધિ દિવસ’’ નિમિત્તે પી.ડી.યુ મેડિકલ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાશે

રાજકોટ: પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર પરિયોજના અંતર્ગત દર વર્ષે ‘‘ પ્રધાનમંત્રી જન ઔષધિ દિવસ’’ ૭ માર્ચના રોજ ઉજવવામાં આવે છે, આ વર્ષની જન ઔષધિ દિવસની ઉજવણીની થીમ "જન ઔષધિ-સસ્તી ભી, અચ્છી ભી" હેઠળ મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પી.ડી.યુ મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે સવારે ૧૦:૦૦ કલાકે કાર્યક્રમ યોજાશે.

 આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી પ્રવચન આપશે. જન ઔષધિ કેન્દ્ર પરથી જાહેર જનતાને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે છે તે માટે લોકજાગૃતિ હેતુ આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જેમાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, યુ. જી તથા પી.જીના વિદ્યાર્થીઓ, વિભાગના વડાઓ વગેરે ઉપસ્થિત રહેશે, તેમ રાજકોટની પી.ડી.યુ.મેડિકલ કોલેજના ડીનની યાદીમાં જણાવાયું છે.

(12:49 am IST)