Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ત્રિવેણી સંગમ ટ્રસ્‍ટ દ્વારા ગુરૂવારે સમુહલગ્નોત્‍સવઃ ૧૧ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે

કરીયાવરમાં ૧૨૦થી વધુ વસ્‍તુઓ અપાશેઃ સંતો મહંતો આશીર્વચન પાઠવશે

રાજકોટઃ ત્રિવેણી સંગમ ચેરીટબેલ ટ્રસ્‍ટ દ્વારા હુડકો પોલીસચોકી પાછળ, માનવ ધર્મ આશ્રમની પાછળ, રાજકોટ ખાતે નવમા સર્વજ્ઞાતીય સમુહ લગ્નોત્‍સવનું તા.૯/૩ને ગુરૂવારનો રોજ આયોજન કરવામાં આવેલ છે.

જેમાં કરીયાવરમાં ૧૨૦થી વધુ વસ્‍તુઓ આપવામાં આવશે

સમુહ લગ્નોત્‍સવમાં પ્રભુતામા પગલા પાડનાર ૧૧ નવદંપતિને સંતો-મહંતો ૧૧ દિકરીઓને આશીર્વાદ આપશે

આયોજનમાં ત્રિવેણી સંગમ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ નયનભાઇ સીદપરા, વિ.જહેમત ઉઠાવી રહયા છે તસ્‍વીરમાં વર્ષાબેન રૈયાણી, રાજુભાઇ ટાંક, સુરેશભાઇ મકવાણા, હાર્દિકભાઇ ટાંક ધીરૂભાઇ વેગડ અને ભાવેશભાઇ વાઢેર નજરે પડે છે(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

(4:31 pm IST)