Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

સિનિયર સીટીઝનને ૧પ લાખને બદલે ૩૦ લાખની દરખાસ્‍ત અંગે આભાર માનતા મનુભાઇ ચનિયારા

રાજકોટ તા. ૬: મોદી સરકાર દ્વારા બજેટ ર૦ર૩-ર૦ર૪ માટે કેન્‍દ્ર સરકારના નાણાંમંત્રી શ્રીમતી નિર્મલાસીતારામન દ્વારા સિનીયર સીટીઝન આ સેવિંગ સ્‍કીમમાં પંદર લાખ ને બદલે ૩૦ લાખ સુધીનું રોકાણ અંગે કરેલ દરખાસ્‍તને સિનીયર સીટીઝને આવકારેલ અને નાણાંમંત્રીશ્રીને તથા વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીને અભિનંદન પાઠવેલ. સાથો સાથ ઓછામાં ઓછો સિનીયર સીટીઝન સેવિંગ સ્‍કીમમાં ૮.પ%નો વ્‍યાજ દર આપવા વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી કેન્‍દ્ર સરકારના નાણાંમંત્રી શ્રીમતી નિર્મલાસીતારામનને રજુઆત કરેલ છે તથા શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ મુખ્‍યમંત્રીશ્રી, તથા રિઝવર બેંકના ગવર્નર શ્રી શકિતકાન્‍તાદાસને કેન્‍દ્ર સરકારને ભલામણ કરવા શ્રી મનુભાઇ ચનિયારા ઓલ ઇન્‍ડિયા BSNL DOT પેન્‍શનર્સ એશોસીએસનના ગુજરાતના સર્કલ સેક્રેટરી તથા સેન્‍ટ્રલ હેડ કવાર્ટરના ઉપપ્રમુખશ્રીએ રજુઆત કરેલ છે.

(3:40 pm IST)