Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

અકસ્માતનો ભોગ બનેલાઓને ૪ લાખ અને ઇજાગ્રસ્તોને સરકાર બે લાખ ચુકવે

ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખ ડી.પી.મકવાણાએ કરેલ માંગણી

રાજકોટ, તા., ૬: ચુંવાળીયા કોળી સમાજના સૌરાષ્ટ્ર પ્રમુખ અને કોંગી અગ્રણી ડી.પી.મકવાણાએ મુખ્યમંત્રીને ફેકસ દ્વારા પત્ર પાઠવીને અકસ્માતનો ભોગ બનેલા તમામ મૃતકોના પરીવારને ૪ લાખ અને ઇજા પામેલાઓને ર લાખનું વળતર ચુકવવા માંગણી કરી છે.

ચુંવાળીયા કોળી સમાજના સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ શ્રી દિનેશ મકવાણાએ સમાજના આગેવાનોને પણ અસરગ્રસ્તોના આંસુ લુછવા આગળ આવવાનું જણાવી સરકારે તાત્કાલીક મૃતકોના પરીવારને ૪ લાખ તથા તમામ પ૦ જેટલા અસરગ્રસ્તોને બબ્બે લાખ રૂપીયાની સહાય આપવા માંગ કરી છે.(૪.૧૨)

(4:23 pm IST)