Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ભાજપ -કોંગ્રેસના આગેવાનોએ 'આપ' માંથી ઝંપલાવ્યુ

ભાજપના સંજયસિંહ વાઘેલા વોર્ડ નં. ૧૩ માંથી તથા વોર્ડ નં. ૭માંથી કોંગ્રેસના કિંજલબેન જોશી લડશે

રાજકોટ : આગામી ૨૧ ફેબ્રુઆરીએ યોજાનાર મ.ન.પાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના બે દાવેદારને ટીકીટ નહિ મળતા તેઓ 'આપ' માંથી ચૂંટણી લડી રહ્યા છે. આ અંગે શહેર પ્રમુખ રાજભા ઝાલાએ જણાવ્યું હતુ કે, વોર્ડ નં. ૧૩નાં ભાજપનાં સંજયસિંહ વાઘેલા તથા વોર્ડ નં. ૯ કોંગ્રેસનાં મહિલા પ્રમુખ કિંજલબેન જોશી વોર્ડ નં. ૭માંથી 'આપ' માંથી ઉમેદવારી ફોર્મ ભર્યા છે.

(3:18 pm IST)