Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

આયુષ્યમાન કાર્ડ વિતરણના પ્રચારમાં તંત્રએ 'ભગો' કરતા લોકો હેરાન થયા : કોંગ્રેસનો આક્ષેપ

રાજકોટ : મ્યુ. કોર્પોરેશન દ્વારા આયુષ્યમાન કાર્ડનું ફોર્મ વિતરણ કરવાનું નહીં હોવા છતાં દરેક વોર્ડ ઓફીસેથી ફોર્મ વિતરણ થશે તેવો પ્રચાર કરતા બેનરો લગાવી દેતા વોર્ડ ઓફીસે લોકોના ટોળા ઉમટયા હતાં અને સ્ટાફ તથા લોકો વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા હતા. દરમિયાન તંત્રને ભૂલ સમજાતા બેનર ઉપર પટી લગાવી ભૂલ સુધારવા પ્રયત્ન કર્યો હતો. જે પ્રથમ તસ્વીરમાં દર્શાય છે. બાજુની તસ્વીરમાં વોર્ડ ઓફીસે ઉમટેલા લોકો નજરે પડે છે. આ તકે વિપક્ષ નેતા વશરામ સાગઠીયા, કોર્પોરેટર અતુલ રાજાણી, કોંગી આગેવાન પ્રભાતભાઇ ડાંગરે તથા કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ, શાસકોએ સસ્તી પ્રસિદ્ધ માટે લોકોને હેરાન કર્યાનો આક્ષેપ કર્યો હતો. (૮.ર૦)

 

(3:37 pm IST)