Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

કાલે રાજકીય જલ્સા સાથે નવનિયુકત કુલપતિ નિતિન પેથાણી - કુલનાયક વિજય દેશાણીનું પદગ્રહણ

જમણવાર સામે શિક્ષણશાસ્ત્રીઓમાં કચવાટ : રાજકીય નેતાઓનો જમાવડો... તડામાર તૈયારી

રાજકોટ તા. ૬ : આવતીકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવનિયુકત કુલપતિ ડો. નિતીન પેથાણી અને કુલનાયક ડો. વિજય દેશાણી રાજકીય જલ્સા સાથે પદગ્રહણ કરશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૭માં વાઈસ ચાન્સેલર તરીકે પ્રિ. ડો. નિતીનભાઈ એન. પેથાણી અને ૧૩મા પ્રો. વાઈસ ચાન્સેલર તરીકે ડો. વિજયભાઈ દેશાણીની ગુજરાત રાજ્ય સરકારશ્રી દ્વારા તાજેતરમાં નિયુકિત કરવામાં આવેલ છે. બન્નેનો પદગ્રહણ સમારોહ કાલે સવારે ૧૧ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે મુખ્ય રંગમંચ, ગુજરાતી ભવન પાસે યોજવામાં આવેલ છે.

પદગ્રહણ સમારોહમાં નવનિયુકત વાઈસ ચાન્સેલર તથા પ્રો. વાઈસ ચાન્સેલરને આશિર્વાદ આપવા માટે આર્ષ વિદ્યામંદિર, મુંજકાના અધ્યક્ષ પૂ. પરમાત્માનંદ સરસ્વતીજી, નિમ્બાર્ક પીઠ, લીંબડીના પૂ. મહામંડલેશ્વરશ્રી લલીતકિશોરશરણજી બાપુ, ભગવદગુરૂ આશ્રમ, જૂનાગઢના પૂ. મહામંડલેશ્વરશ્રી જગજીવનદાસ બાપુ, રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ પૂ. નીખીલેશ્વરાનંદજી, ભાગવત વિદ્યાપીઠ, સોલાના પૂ. રામેશ્વરદાસ બાપુ હરીયાણી, ભાગવત કથાકારશ્રી આચાર્યશ્રી જલ્પેશભાઈ મહેતા ઉપસ્થિત રહેશે. નવનિયુકત વાઇસ ચાન્સેલરશ્રી તથા પ્રો. વાઇસ ચાન્સેલરશ્રીના પદગ્રહણ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે સંસદ સભ્ય મોહનભાઇ કંુડારીયા, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ડો. ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપા અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, અરવિંદભાઇ રૈયાણી, કાર્યકારી કુલપતિ પ્રો. ડો. નિલાંબરીબેન દવે ઉપસ્થિત રહેશે.

પદગ્રહણ સમારોહમાં રાજકોટ શહેર ભાજપાના પ્રમુખ કમલેશભાઇ મીરાણી, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા તથા દંડકશ્રી દલસુખભાઇ જાગાણી ઉપસ્થિત રહેશે. સમારોહમાં સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વવાઇસ ચાન્સેલર ડો. કનુભાઇ માવાણી, ડો. કમલેશભાઇ જોશીપુરા, ડો. મહેન્દ્રભાઇ પાડલિયા, ડો. પ્રતાપસિંહ ચોૈહાણ, પુર્વ પ્રો. વાઇસ ચાન્સેલર ડો. કલ્પકભાઇ ત્રિવેદી તેમજ સાગર યુનિવર્સિટી મધ્યપ્રદેશના ચાન્સેલર ડો. બળવંતભાઇ જાની, જી.ટી.યુના વાઇસ ચાન્સેલર પ્રો. નવીનભાઇ શેઠ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર  ડો. સંજીવભાઇ ઓઝા, ગુજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર પ્રો અનામિક શાહ, નોર્થ ગુજરાત યુનિવર્સિટીના પુર્વ વાઇસ ચાન્સેલર પ્રો. હેમાક્ષીબેેન રાવ તથા નોર્થ ગુજરાત યુનિવર્સિટીના પુર્વ વાઇસચાન્સેલર ડો. નિદતભાઇ બારોટની વિશેષ ઉપસ્થિતીમાં ગરીમાપૂર્ણ પદગ્રહણ કાર્યક્રમ યોજાયો છે.(૨૧.૩૧)

(3:33 pm IST)