Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ગુમ થયેલા સગીર રાહુલને એ.ડીવીઝન પોલીસે રતનપરથી શોધી કાઢયો

રાહુલ ચાવડા ગુમ થતા અપહરણનો ગુનો નોંધાયો હતો

રાજકોટ તા. ૬ : સોરઠીયા પ્લોટમાં રહેતો દલીત સગીર ગુમ થઇ જતા એ. ડીવીઝન પોલીસમાં અપહરણનો ગુનો નોંધાયો હતો. તપાસ કરતા પોલીસે સગીરને રતનપરથી શોધી કાઢયો હતો.

મળતી વિગત મુજબ સોરઠીયા પ્લોટ શેરી નં. ૮-બ માં રહેતો રાહુલ જયંતીભાઇ ચાવડા (ઉ.૧૬) પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. પરંતુ તેનો કોઇ પત્તો ન લાગતા તેના પરિવારજનોએ એ. ડીવઝન પોલીસમાં મથકમાં જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ આદરી હતી. દરમ્યાન એ. ડીવીઝન પોલીસ મથકના પીઆઇ વી. એન. યાદવ તથા રાઇટર રણજીતસિંહ અને વિજયસિંહ સહિતે સગીરના પરિવારજનો તથા ઘરની આસપાસ તથા તેના મિત્રોની પુછપરછ કરતા તે રતનપર ગામમાં હોવાનું  જાણવા મળતા પોલીસે તાકીદે રતનપર પહોંચતા રાહુલ ચાવડા મળી આવ્યો હતો.

રાહુલ તેના માતા-પિતાને કહ્યા વગર રતનપર તેના મીત્રના લગ્નમાં પહોંચ્યો હતો. બાદ એ. ડીવીઝન પોલીસે રાહુલને તેના માતા-પિતાને સોંપ્યો હતો.

(3:59 pm IST)