ભગવદ્ભકતો તેમજ શ્રઘ્ધાળુઓને ઉપયોગી થાય. ફકત તે જ હેતથી 'વ્યાતીપાત યોગ' વિશેની થોડીક માહિતી શ્રી મહાભારત, વરાહપરાણ વગેરે ધમંગ્રંથોમાંથી સાવ સારરૂપે અતિ સંક્ષેપમાં અહી લેવામાં આવી છે.
સૂર્ય-ચંદ્રવ્યાતીપાતને આશીર્વાદ આપતા રહે છે કે, 'તુ સર્વ યોગોનો સદા સ્વામી રહીશ, સર્વ યોગોમાં અતિશય પવિત્ર ગણાઈશ, ભલે તારા ઉત્પતિના સમયે કોઈ શુભ કાર્ય કરાશે નહિ, પરંતુ જે કંઈ સ્નાન-દાન વગેરે પુણ્ય કર્મ કર્યું હશે તે અક્ષય થાશે. જે મનૃષ્ય તારા - વ્યાતીપાત યોગના સમયે સ્નાન-દાન-જપ તથા હોમ વગેરે જે કાંઈ ધર્મ કાર્ય કરશે તેનું પણ્ય હે પુત્ર, તારી પ્રસન્નતાથી અને અમારા અનગ્રહથી આ લોકમાં અનંતગણું થાઓ.'
આ અતનંતગણું - અસંખ્યાત જેને ગણી ન શકાય તે કેટલું, તે સમજાવવા શાસ્ત્રમાં આ મુજબની માહિતી આપવામાં આવી છે.
અમાસના દિવસે કેટલું દાન દસ ગણું, ક્ષયતિથિએ દીધેલું તેનાથી સો ગણું, સંક્રાંતિ કાળે આપેલું તેનાથી સો ગણું, તુલા અને મેષસંક્રાંતિએ આપેલું તેનાથી સો ગણું, યુગાદિએ આપેલુ તેનાથી સો ગણું, ઉતરાયણ કે દક્ષિણાયનમાં આપેલું તેનાથી સો ગણું, ચંદૂગ્રહણના સમયે આપેલું તેનાથી સો ગણું, પરંત વ્યાતીપાતમાં આપેલું દાન તો અસંખ્યાત - અગણિત જ થાય છે એમ વેદ જાણનારા કહે છે.
વ્યાતીપાતના સમયે જે દાન કર્યું હોય તેને સૂર્ય તથા ચંદ્રસો કલ્પોના ૧ કલ્પ બરાબર ૪, ૨૯, ૪૦, ૮૦૦૦૦ વર્ષો (એટલે કે ચાર અબજ ઓગણત્રીસ કરોડ, ચાલીસ લાખ, એસી હજાર વર્ષ) કહેવામાં આવે છે. આ એક કલ્પનો સમય થયો છે.
આવા સો કલ્પોના અબજો વર્ષ સુધી સૂર્ય-ચંદૂ, વ્યતીપાત યોગના સમયે દાન દેનાર દાતાને તે દાનનુંફળ પાછુ આપ્યા જ કરે છે, તે નિરંતર વદયા જ કરી કયારેય ખૂટતુ જ નથી.
શ્રીકૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને કહે છે કે, 'હે રાજન ! વિષ્ણુ નામના પૃણ્યકાળે, ચંદૂ-સૂયના ગ્રહણ સમયે, વ્યતીપાતને દિવસે તથા ઉત્ત્।રાયણના આરંભમાં દાન આપવાથી અક્ષય ફળ મળે છે.'
દાન વિશે શ્રી ભગવાને કહયું છે કે, યજ્ઞ, તપ અને દાનમાં દૂઢ રહેવં તેને 'સત' કહેવામાં આવે છે તથા ઈશ્વર પ્રીત્યર્થ જે કર્મ હોય તેને પણ 'સત' કહેવામાં આવે છે. (શ્રીમદ્ભગવદ્ગીતા : ૧૭: ૨૭)
યજ્ઞ, દાન અને તપરૂપ કર્મ એ ત્યજવા યોગ્ય નથી. પરંત એ તો કરવા યોગ્ય જ છે. કારણ કે, યજ્ઞ, દાન અને તપ બદ્ઘિમાન - નિષ્કમ મનૃષ્યોને પવિત્ર કરનારા છે. (શ્રીમદ્ભગવદ્ગીતા :૧૮:૫)
તા. ૬ને શુક્રવાર સાંજે ૫ :૩૦ વાગ્યા થી લઈને વ્યાતિપાતનો પ્રારંભ થાય છે. તા. ૭ શનિવારના સાજે ૫: ૩ મીનીટે પુરો થાય છે વધુ વિગત માટે પંચાગ જોવું.
દાન : કાળા, સફેદ, લાલ તલ, ખિચડી કાળી, ગોળ, ગાયનું દ્યી, ગાયનું દૂધ, સાકર મધ, તેલ, મીઠું, વસાણી, જલદાન તથા દિપદાન વગેરે દાન મનુષ્ય પોતાની શકિત મુજબ કરવા.
નોંધ : આ ઉપરાંત વ્યાતીપાત યોગ વિશેની ઘણી મહત્વની વાતો શાસ્ત્રોમાં
આપવામાં આવી છે. જેનાથી વ્યાતીપાત યોગનું વિશેષ મહત્વ જાણી શકાય છે.
સંકલન : શ્રી નિશીથ ઉપાધ્યાય
સ્પીરીચ્યુઅલ કન્સલટન્ટ અને એસ્ટ્રોલોજર
રાજકોટ