Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

ઝૂંડાળાની બાવાજી પરિણીતાને મરવા માટે મજબુર કરનાર પતિ કિશન સામે ગુનો

પતિ ત્રણવર્ષથી નાની-નાની બાબતે ઝઘડો કરી ત્રાસ આપતા કવિતાએ ઝેરી દવા પી લીધી 'તી

રાજકોટ તા. પ : જસદણના ઝૂંડાળા ગામની બાવાજી પરિણીતાને આપઘાત કરવા માટે મજબુર કરનાર પતિ સામે આટકોટ પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ આટકોટ કૈલાશનગરમાં માવતર ધરાવતી અને જસદણના ઝૂંડાળા ગામમાં સાસરીયુ ધરાવતી કવીતા કિશન દેવમોરારી (ઉ.રર) ના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા તેને સંતાનમાં એક પુત્રી છે લગ્ન બાદ પતિ કિશન ભુપતભાઇ દેવમોરારી અવારનવાર નાની-નાની બાબતે ઝઘડો કરી મારમારી શારીરીક માનસીક ત્રાસ આપતો હતો જેથી પતિના આત્રાસથી કંટાળી કવિતાએ તા. ર૯/૧૧ ના રોજ ઝૂંડાળા ગામમાં ઝેરી દવા પી લીધી હતી. બાદ તેને સારવાર માટે આટકોટ, જસદણ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાં તા. ૩/૧ર ના રાત્રે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

આ બનાવ અંગે પરિણીતાના ભાઇ સંજયભાઇ નરશીભાઇ રાઠોડ (રહે. આટકોટ, કૈલાશનગર) એ આટકો પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે કિશન ભુપતભાઇ દેવમોરારી સામે ગુનો દાખલ કરી પીએસઆઇ બી.એફ.ચૌધરીએ તપાસ આદરી છે.

(2:52 pm IST)