Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

ગઢડીયામાં બિમારીથી કંટાળી દેવીપૂજક વૃધ્ધાનું અગ્નિસ્નાન

રાજકોટ તા. ૬: જસદણના ગઢડીયામાં રહેતાં મંગુબેન અમરશીભાઇ સોલંકી (ઉ.૮૦) નામના દેવીપૂજક યુવાને કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતાં પગના ભાગે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મંગુબેનને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પતિ અમરશીભાઇ અને પુત્રો ખેતી કરી ગુજરાન ચલાવે છે. પક્ષઘાતની બિમારીથી કંટાળીને આ પગલું ભર્યાનું તેના પરિવારજનોએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે જસદણ પોલીસને જાણ કરી હતી.

(2:52 pm IST)