Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં પુત્રવધૂ અને પિનાકી મેઘાણીનાં માતા સ્વ. કુસુમબેન નાનકભાઈ મેઘાણીની પ્રથમ પુણ્યતિથિએ ભાવાંજલિ અર્પણ થશે

રાજકોટ,તા.૫: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીનાં પુત્રવધૂ અને પિનાકી મેદ્યાણીનાં માતા સ્વ. કુસુમબેન નાનકભાઈ મેદ્યાણીએ ૮૦ વર્ષની વયે ૦૬ નવેમ્બર ૨૦૧૮ (આસો વદ ૧૪ - કાળી ચૌદશ)ના રોજ આપણી વચ્ચેથી અણધારી વિદાય લીધી હતી. સ્વ. કુસુમબેન મેદ્યાણીની પ્રથમ પુણ્યતિથિએ ભાવાંજલિ અર્પણ થશે. 

પ્રાધ્યાપક રહી ચૂકેલાં કુસુમબેન પુત્ર પિનાકી મેદ્યાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનનાં સતત પથદર્શક રહ્યાં હતાં. ઝવેરચંદ મેદ્યાણીની અધિકૃત અને માહિતીસભર વેબસાઈટ www.jhaverchandmeghani.comનાં સંશોધન માટે પિનાકીભાઈ સાથે ગુજરાત-રાજસ્થાનનો સદ્યન પ્રવાસ કર્યો હતો. દરેક કાર્યક્ર્મમાં ઉત્સાહભેર ઉપસ્થિત રહે. 'મેદ્યાણીગાથા', 'કસુંબીનો રંગ' પુસ્તકો તેમજ 'દ્યાયલ મરતાં મરતાં રે', 'રઢિયાળી રાત' 'સોરઠી સંતવાણી' મ્યૂઝીક સીડીનાં સંકલનમાં પણ સવિશેષ પ્રેરણા આપી હતી. યુવાવસ્થામાં પતિ નાનકભાઈ મેદ્યાણી સંચાલિત રાજકોટ સ્થિત 'સાહિત્ય મિલાપ'ગ્રંથભંડારમાં પણ સક્રીય હતાં.  

જે સમયે કન્યા કેળવણીનું પ્રમાણ ખૂબ ઓછું હતું ત્યારે ભાવનગર ખાતે જન્મેલાં કુસુમબેન મેદ્યાણીએ એમ.એ. - બી.એડ.નો ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કર્યો હતો. માતા લક્ષ્મીબેન અને પિતા ત્રિભુવનદાસ શાહની પ્રેરણાથી શાળા-કોલેજ દરમિયાન અભ્યાસ ઉપરાંત કલા અને રમતગમત ક્ષેત્રે પણ અનેક સિધ્ધિઓ હાંસલ કરી હતી. ૧૯૫૯માં દિલ્હીનાં તાલકટોરા ગાર્ડન ખાતે યોજાયેલ ઓલ-ઈન્ડિયા યુથ ફેસ્ટીવલમાં ઝવેરચંદ મેદ્યાણી સંશોધિત-સંપાદિત શ્નરઢિયાળી રાતલૃનાં પ્રાચીન રાસ-ગરબા-લોકગીતો ગુંજયાં હતાં. ભાવનગરની શામળદાસ કોલેજનાં ૧૨ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ દેશની ૩૭ યુનિવર્સિટીઓમાં લોક-નૃત્યમાં પ્રથમ ક્ર્મ પ્રાપ્ત કર્યો હતો. શામળદાસ કોલેજમાં જુનિયર બી.એ.માં ત્યારે અભ્યાસ કરતાં કુસુમબેન આ વિજેતા ટીમમાં શામેલ હતાં. દેશના પ્રથમ પ્રધાન મંત્રી પંડીત જવાહરલાલ નહેરુએ વિજેતા ટીમનું સન્માન કર્યું હતું. એન.સી.સી.માં બેસ્ટ કેડેટ તરીકે પણ પસંદગી પામેલા. ત્રણ ટર્મ સુધી લોકસભાનાં સાંસદ રહી ચૂકેલાં મોટા બહેન જયાબેન શાહની પ્રેરણાથી બચપણમાં આઝાદીની ચળવળમાં પણ રસ લેતા.

નરેન્દ્રભાઈ મોદી ઉપરાંત જવાહરલાલ નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી, મોરારજીભાઈ દેસાઈ, ઈન્દિરાબેન ગાંધી સહિત દેશનાં પાંચ પ્રધાન મંત્રીને પ્રત્યક્ષ મળવાનો અવસર કુસુમબેનને પ્રાપ્ત થયો હતો જે ખાસ ઉલ્લેખનીય છે.

આલેખન

 પિનાકી નાનકભાઈ મેદ્યાણી   ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન  (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(3:37 pm IST)