Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

બાંગ્લાદેશ ટીમના લાઇઝન ઓફીસર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા-તેજસ ઓજાની નિમણુંક

રાજકોટમાં રમાનાર ટી-૨૦ મેચમાં

રાજકોટઃ આગામી તા.૭ નવેમ્બરે રાજકોટ ખાતે બીજો ટી-૨૦ ક્રિકેટ મેચ ભારત વિ. બાંગ્લાદેશ વચ્ચે ખંઢેરી ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન સ્ટેડીયમના ગ્રાઉન્ડમાં રમાનાર છે.

જેમા બાંગ્લાદેશ ટીમના લોકલ લાઇઝન ઓફીસરો તરીકે શ્રી નરેન્દ્રસિંહ જાડેજા તથા શ્રી તેજસ ઓજા ટીમની સાથે તેઓ રહેશે. આ બંને લાઇઝન ઓફીસરો બાંગ્લાદેશ ટીમ સાથે નેટ પ્રેકટીસ તથા મેચ દરમિયાન સાથે રહી પોતાની જવાબદારી સંભાળશે. તેમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનની અખબારી યાદીમાં જણાવાયું છે.

(11:38 am IST)