Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

દિવાળીના નૂતનવર્ષ નિમિતે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ધ્યાનોત્સવ

બુધવારે દિવાળી ઉત્સવ તથા લાભ પાંચમ - સોમવારે ઓશો સન્યાસી તથા પ્રેમીઓનું સ્નેહમિલન : સ્વામી સત્ય પ્રકાશનું નિમંત્રણ

રાજકોટ : ઓશોના સૂત્ર ઉત્સવ આમાર થતી આનંદ આમાર ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન - કિર્તન, ગીત - સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩૩ વર્ષોથી રાત અને દિવસ ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતુ વિશ્વનું એકમાત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર અવાર નવાર આયોજન થાય છે.

આગામી તા.૭ને બુધવારના રોજ દિવાળી નિમિતે તથા તા.૧૨ને સોમવારના રોજ લાભપાંચમે સાંજે ૬ થી ૮:૩૦ દરમિયાન ધ્યાનોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુરૂ વંદના, દિપ પ્રાગટ્ય, ઓશો કિર્તન, સંધ્યાન ધ્યાન વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બુધવારે સ્નેહમિલન બાદ પ્રસાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્થળ : ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ૪ વૈદવાડી, રાજકોટ.

ઉપરોકત નવા વર્ષના દિવાળી તથા સ્નેહ મિલનના કાર્યક્રમમાં સહભાગી થવા  ઓશો સન્યાસી તથા પ્રેમીઓને સ્વામી સત્ય પ્રકાશ, પૂર્વાદીદી તથા ઓશો ઈનર સર્કલે અનુરોધ કરેલ છે.

વિશેષ માહિતી : સ્વામી સત્ય પ્રકાશ : ૯૪૨૭૨ ૫૪૨૭૬, જયેશભાઈ કોટક - ૯૪૨૬૯ ૯૬૮૪૩.(૩૭.૬)

(3:45 pm IST)