Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

શરદપૂનમે દમ-શ્‍વાસની આયુર્વેદીક ઔષધીનું રાહતદરે કરાશે વિતરણ

દંતવૈદ્ય લાભશંકરભાઇ શુકલ સ્‍મૃતિ વંદના અંતર્ગત

રાજકોટ તા. પઃ દંતવૈદ્ય શ્રી લાભશંકરભાઇ શુકલ સ્‍મૃતિ વંદના અંતર્ગત આગામી શરદપૂનમના દિવસે લેવા માટેની દમ (અસ્‍થમા) શ્‍વાસ માટેની આયુર્વેદિક ઔષધીનું રાહતદરે વિતરણ કાર્ય શરૂ થઇ ગયેલ છે. શ્‍વાસ-દમ (અસ્‍થમા) એ ઘણો જુનો રોગ છે. આયુર્વેદમાં પણ આ રોગનું વિસ્‍તૃત વર્ણન કરવામાં આવ્‍યું છે. આ રોગને નાબુદ કરવાનું ઘણું જ મુશ્‍કેલ છે. ઋતુઓનો સંધીકાળ (બે ઋતુઓ વચ્‍ચેનો ગાળો) આહાર વિહારમાં પરિવર્તન, ફેરફાર-ધૂળ-ધુમાડો આ રોગને વધારવામાં કારણભૂત બને છે. ચોક્કસ નિદાન પરેજી અને યોગ્‍ય સારવારથી દર્દીને રાહત આપી શકાય છે દરેક પ્રકારની ખુબજ કાળજી લેવાથી સંભવતઃ મટાડી શકાય છે.

શરદપૂર્ણીમાના દિવસે રાત્રે ચંદ્ર કિરણોમાં મુકેલી ખીર અને ચોક્કસ પ્રકારની શાષાોકત-ઔષધીઓનું મિશ્રણ કરેલી ઔષધી લેવાથી ઘણા દર્દીઓને ફાયદો થયો છે. રાહત મળી છે, એવું તારણ છે. જેથી બહોળી સંખ્‍યામાં દર વર્ષે દર્દી ભાઇ-બહેનો શરદપૂર્ણીમાનાં દિવસે ઉપરોકત ઔષધીના સેવનથી રોગપ્રતિકારક શકિત વધે છે. જેથી વર્ષ દરમિયાન શ્‍વાસની તકલીફ રહેતી નથી તેવું દર્દીઓ દ્વારા અભિપ્રાય અપાયો છે. ઉપરોકત દમની ઔષધી રતનપર-‘‘પુનીતધામ'' આજે તેમજ પૂજા સ્‍ટોર્સ, ખાદીભવન, એ ડીવીઝન સામેથી શરદપૂર્ણીમાના દિવસ સુધી મળી શકશે, જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે. દમયજ્ઞને સફળ બનાવવા વૈદ્યશ્રી જી. એમ. મજીઠિયા, પ્રવિણભાઇ વસાણી, ડો. સિધ્‍ધાર્થ શુકલ તેમજ દંતવૈદ્ય પુનીત શુકલ (મો. ૯૮રપર ૮૩૮૭૭) જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:58 pm IST)