Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

રાજકોટમાં બદલી થઇ આવેલા ૧૦ પીએસઆઇની અલગ - અલગ પોલીસ મથકમાં નિમણુંક અપાઇ

રાજકોટ તા. ૫: ગયા મહિને અલગ-અલગ શહેરોમાંથી બદલી પામી રાજકોટ શહેરમાં નિમણુંક પામેલા અને હાલ પોલીસ કન્ટ્રોલ રૂમ રિઝર્વમાં રખાયેલા ૧૦ પીએસઆઇને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અલગ-અલગ પોલીસ મથકોમાં નિમણુંક આપી છે.જાણવા મળ્યા મુજબ પીએસઆઇ એમ. એસ. અંસારીને એ-ડિવીઝનમાં, એ. બી. જાડેજાને હાલ લિવ રિઝર્વ કન્ટ્રોલ રૂમમાં, એમ. બી. જેબરલીયાને ગાંધીગ્રામ, આર. કે. કપાસીને પ્ર.નગર, બી.પી. મેઘલાતરને કુવાડવાનાના બામણબોર આઉટ પોસ્ટમાં, પી. કે. ગાંગાણીને મહિલા પોલીસ મથકમાં, એ.એલ. બારસીયાને થોરાળા પોલીસ સ્ટેશન, જી. કે. રાજ્યગુરૂને ટ્રાફિક શાખામાં, એસ. એન. જાડેજાને ભકિતનગર પોલીસ મથકમાં અને એસ. એચ. નિમાવતને એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નિમણુંક આપવામાં આવી છે.

(11:36 am IST)