Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ભગવતીપરાની સગીરા ગૂમઃ અપહરણનો ગુનો

બકાલાની રેંકડીએથી ઘરે ન્હાવા જવાનું કહીને નીકળ્યા બાદ ગાયબ

રાજકોટ તા. ૫: ભગવતીપરામાં રહેતાં  અને બકાલુ વેંચી ગુજરાન ચલાવતાં ૫૮ વર્ષના મહિલા સમજુબેન હનુભાઇ વાણોકીયાની ૧૬ વર્ષની દિકરી ગાયબ થતાં બી-ડિવીઝન પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સમજુબેનની ફરિયાદ પરથી પી.આઇ. આર.એસ. ઠાકર અને જગેન્દ્રસિંહ, ચંદ્રસિંહે આઇપીસી ૩૬૩ મુજબ ગુનો નોંધ્યો છે. સમજુબેનના કહેવા મુજબ સાંજે પાંચેક વાગ્યે પોતે, પુત્ર અને ૧૬ વર્ષની દિકરી ભગવતીપરા આશાબાપીર દરગાહવાળા રોડ પર નદી કાંઠે બકાલાની લારી રાખીને ઉભા હતાં. ત્યારે દિકરી ઘરે ન્હાવા જવાનું કહીને લારીએથી નીકળી ગઇ હતી. સાંજે ઘરે પહોંચ્યા ત્યારે તેણી જોવા ન મળતાં અને શોધખોળ બાદ પણ પત્તો ન મળતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે આ બાળાનો પત્તો મેળવવા તપાસ આરંભી છે. (૧૪.૯)

(4:15 pm IST)