Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ચંપકનગરમાં ગજાનનદાદાની મૂર્તિની નીતિનભાઈ અને વંદનાબેન ભારદ્વાજના હસ્તે સ્થાપના : પૂજન અર્ચન

રાજકોટ : શહેરના ઉપલાકાંઠે ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવનું ૧૧માં વર્ષે આયોજન થઈ રહ્યુ છે. ગણેશ ચતુર્થીના પાવન દિવસે પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ તથા તેમના ધર્મપત્નિ શ્રીમતી વંદનાબેન ભારદ્વાજ દ્વારા ગણેશ ઉત્સવની સ્થાપના કરવામાં આવી હતી સાથે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, કોર્પોરેટર સજુબેન રબારી ઉપસ્થિત રહ્યા હતા. આયોજનમાં મુકેશભાઈ રાદડીયા (કોર્પોરેટર), જીતેન્દ્રસિંહ જાડેજા, ભાવેશભાઈ રૈયાણી, તાનાજીરાવ સાવંત, મગનભાઈ પીપળીયા, ગજાનન શીંદે, કમલેશ દોમડીયા વગેરે જોડાયા છે. ભાવિકોને દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

(1:04 pm IST)