Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળના 17માં સત્ર માટે મહાસમિતિની ચૂંટણી શ્રીમાળી સોની જાગૃત પેનલની સાંજે જન સંપર્ક રેલી કાલે વિજય વિશ્વાસ સંમેલન: ઉમટી પડવા અનુરોધ

રાજકોટ મહાસમિતિના છ સભ્યોની ચૂંટણીનો ધમધમાટ :જાગૃત પેનલના ઉમેદવારો અકિલાના આંગણે

અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળના મહાસમિતિના સભ્યોની ચૂંટણી માટે રાજકોટની શ્રીમાળી સોની જગૃત પેનલના ઉમેદવારોએ અકિલા કાર્યાલયે આવ્યા હતા તે વેળાની તસ્વીરમાં ઉમેદવારો અને સમર્થકો નજરે  પડે છે ( તસ્વીર સંદીપ બગથરીયા )

રાજકોટ : શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળના 17માં સત્ર માટે મહાસમિતિની ચૂંટણી દેશભરમાં શેડ્યુલ મુજબ યોજાઈ રહી છે રાજકોટમાં મહાસમિતિના છ સભ્યોની ચૂંટણી આગામી તા,8ને રવિવારે યોજાનાર છે ત્યારે જાગૃત પેનલના ઉમેદવારોની આજે સાંજે સંપર્ક રેલી યોજાનાર છે જયારે કાલે શુક્રવારે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન થયેલ છે

  સમગ્ર વિશ્વના શ્રીમાળી સોની સમાજની માતૃસંસ્થા શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ જે છેલ્લા 80 વર્ષથી કાર્યરત છે અને દેશ વિદેશના શ્રીમાળી સોનીને એક તાંતણે બાંધીને બંધુત્વ ભાવના કેળવે છે જેમાં દર પાંચ વર્ષે પ્રમુખ-ઉપ પ્રમુખ બાદ મહાસસમિતિના સભ્યોની ભારત અને બહારના દેશોના 128 સભ્યો માટેની ચૂંટણી તબક્કાવાર યોજાઈ રહી છે

  આજે અકિલા કાર્યાલય ખાતે શ્રીમાળી સોની જાગૃત પેનલના ઉમેદવારોએ માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી તા,8ને રવિવારે સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી કિશોરસિંહજી તાલુકાશાળા ન,1માં મતદાન થવાનું છે જેમાં રાજકોટને વસ્તી મુજબ ફાળવાયેલ છ સભ્યોની ચૂંટણી યોજાનાર છે જેમાં જગૃત પેનલ જેની નિશાન ૐ છે તે પેનલ હેઠળ શ્રીમાળી સોની સમાજના અરવિંદભાઈ પાટડીયા ,છબીલભાઈ રાણપરા, જયસુખભાઇ આડેસરા,હરેશભાઇ આડેસરા,અને હાલારી સમાજમાંથી હરીશભાઈ સાહોલિયાં,જીતેન્દ્રભાઈ લાઠીગરાએ વર્ષોની પ્રણાલી મુજબ પેનલ બનાવી છે જેને સમાજના મોટાગજાના અગ્રણીઓ,જવેલર્સ,અને ઘેર ઘેર વયપક્ષ સમર્થન મળી રહ્યું છે

  મહાસમિતિના સભ્યોની ચૂંટણી સંદર્ભે આજે સાંજે 4-30 વાગ્યાથી શ્રી બાલકૃષ્ણલાલજી હવેલી દરબારગઢથી જનસંપર્કયંત્ર પ્રસ્થાન કરીને માંડવી ચોક,ગધ્ધી વાડ ,નવાનાકા રોડ,સોનીબજાર,કોઠારીયા નાકા,પેલેસ રોડ પર કાર્યાલયે પૂર્ણ થશે જયારે કાલે શુક્વારે રાત્રે 8-30 વાગ્યે શ્રી શ્યામકુંવરબાઈ વાડી ખાતે વિજય વિશ્વાસ સંમેલન રાખેલ છે જેમાં રાજકોટમાં વસતા શ્રીમાળી સોની સમાજ ને ઉમટી પડવા અનુરોધ કરાયો છે

  અકિલા કાર્યાલય ખાતે અરવિંદભાઈ પાટડીયા ,જીતુભાઇ લાઠીગરા,છબીલભાઈ રાણપરા,જયસુખભાઇ આડેસરા,હરેશભાઇ આડેસરા,રાજુભાઈ ધોળકિયા,અશ્વિનભાઈ ધોળકિયા,હર્ષદભાઈ ચોક્સી અને કૈલાશભાઈ રાજપરા ઉપસ્થિત રહ્યાં હતા

(12:31 pm IST)