Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

તુલસીના રોપા, ચકલીઘર, પાણીના કુંડાનું વિતરણ

રાજકોટઃ કુમકુમ ગ્રુપ દ્વારા અગીયારસ પવિત્ર દિવસે ગણેશજીના મંદિરે ૫૦૧ તુલસીના રોપા, ચકલીના માળા, પાણીનું કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ. વોર્ડના કોર્પોરેટર જયોત્સનાબેન ટીલારા,  કિરણબેન માકડીયા (પ્રમુખ મહિલા ભાજપ રાજકોટ) નૈનાબેન વજીર, યોગીનભાઇ ધનીયારા, મિતલભાઇ ખેતાણી, રાજુભાઇ ઉનાગર, વિગેરે ઉપસ્થિત રહેલ. આ સેવાયજ્ઞમાં કુમકુમ ગ્રુપના મનોજભાઇ પટેલ, રાજુભાઇ પ્રજાપતિ, ગોવિંદભાઇ સલાયા, રાજુભાઇ શાહ, સુરેશભાઇ લાખાણી, નારણભાઇ બોળીચા, નારણભાઇ કેસરીયા, ભરતભાઇ ઇલાણી, કિસનભાઇ ટીલવા, દુષ્યંતભાઇ દવે, ભાવેેશ ગજેરા, મયુર લોઢીયા, ભૂમિકા અઢીયા વિગેરે જોડાયા હતા. 

(2:41 pm IST)