Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

નિવૃત ડીજીપી કે. ચક્રવર્તિને રાજકોટ પોલીસની શ્રધ્ધાંજલિ

રાજકોટઃ ગુજરાત રાજ્યના પુર્વ ડીજીપી સ્વ. શ્રી કે. ચક્રવર્તિનું મુંબઇ ખાતે ૪/૮ના દુઃખદ અવસાન થયું હોઇ આજે બપોરે બાર કલાકે શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે સદ્દગતને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા અન્ય અધિકારીઓ, કર્મચારીઓએ બે મિનીટ મોૈન પાળી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં.

(4:26 pm IST)