Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

રવિ રેસીડેન્સી સોસાયટી દ્વારા કારસેવકોનું સન્માન કરાયુ

રાજકોટ :.. અયોધ્યામાં આજે રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગે રવિ રેસીડેન્સી સોસાયટી (સ્ટર્લીંગ હોસ્પીટલ પાછળ ૧પ૦ ફુટ રીંગ રોડ) દ્વારા સોસાયટીના વિરમેશ્વર મહાદેવ મંદિરે આજે બપોરે શ્રીરામ ભગવાનની સામુહિક આરતી કરાઇ હતી તેમજ અયોધ્યામાં શ્રીરામ મંદિર માટે કારસેવામાં ગયેલા કાર સેવકોનું ભવ્ય સન્માન કરાયુ હતું. અયોધ્યા કારસેવામાં ગયેલા કશ્યપભાઇ ચીમનભાઇ શુકલ (કોર્પોરેટર - પૂર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન), ગીરીશભાઇ ભટ્ટ (પૂર્વ મુખ્ય સરકારી વકીલ), પરેશભાઇ ઠાકર (પૂર્વ યુવા ભાજપ પ્રમુખ - એડવોકેટ), પ્રદ્યુમનભાઇ શુકલા, ભગીરથભાઇ ભૂત, ચેતનભાઇ ટીલાળા, પ્રકાશભાઇ ટીપરે, સંદીપભાઇ પટ્ટની, અશ્વિનભાઇ જીવાણી, રાજેનભાઇ જોષી, શૈલેષભાઇ વ્યાસ (એડવોકેટ) નલીનભાઇ જોષી, જગદીશભાઇ છાપીયા તથા પ્રશાંતભાઇ જોષી (એડવોકેટ)નું રવિ રેસીડેન્સી સોસાયટીના પ્રમુખ અજયભાઇ સંઘાણી, રાજભા ઝાલા (એડવોકેટ), દેવેન્દ્રભાઇ ધગત, કેતનભાઇ સૂચક, કાંતિભાઇ ધોણીયા, જગદીશભાઇ શર્મા, નીતિનભાઇ મહેતા, અરજણભાઇ કેશવાલા, દેવેન ઠાકર, પાશ્વ ઠાકર તથા તીર્થ ટાંક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ રવિ રેસીડેન્સી સોસાયટી પરિવારના શ્રીમતી જશુબેન સંઘાણી, શ્રીમતી રીટાબેન સંઘાણી, શ્રીમતી સોનલબેન ઠાકર, શ્રીમતી રૂપાબેન પરમાર, શ્રીમતી પ્રવિણાબેન જોષી, શ્રીમતી પ્રમોદીનીબેન પરમાર, શ્રીમતી ભાનુબેન રાઠોડ, શ્રીમતી કુસુમબેન, શ્રીમતી રીનાબેન, શ્રીમતી મીતાબેન ભટ્ટ, શ્રીમતી આશાબેન શર્મા, શ્રીમતી શકુન્તલાબેન શર્મા, શ્રીમતી નીતાબેન ધોણીયા તથા શ્રીમતી શોભનાબેન દફતરી દ્વારા મંદિરમાં શ્રીરામ ભગવાનની સામુહિક આરતી કરાઇ હતી. તસ્વીરમાં કારસેવકોનું સન્માન કરતા રવિ રેસીડેન્સી સોસાયટીના સભ્યો દ્રશ્યમાન થાય છે.

(4:19 pm IST)