Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

અયોધ્યા શ્રી રામ મંદિરનાં આર્કિટેકટ ચંદુભાઇ સોમપુરા રાજકોટનાં મેયર બીનાબેન આચાર્યના પરિવારજન

રાજકોટ : આજે અયોધ્યાયની પાવન શ્રી રામજન્મ ભૂમિ ખાતે લાખો-કરોડો હિન્દુઓનાં આરાધ્યદેવ ભગવાન શ્રીરામના ભવ્ય રામંદિરનાં નિર્માણનું ભૂમિપૂજન આજનાં પવિત્ર દિવસે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ  મોદીનાં હસ્તે થઇ રહ્યું છે. ત્યારે અહીં જે ભવ્ય રામમંદિર નિર્માણ થનાર છે. તેની ડીઝાઇન તૈયાર કરનાર આર્કિટેકટ ચંદુભાઇ સોમપુરા રાજકોટનાં મેયર બીનાબેન આચાર્ય પરિવારનાં વેવાઇ છે. આમ આ ઐતિહાસિક મંદિરનાં નિર્માણનો નાતો આ પ્રકારે રાજકોટ સાથે બંધાયો છે.

જે દરેક માટે ગૌરવપ્રદ ઘટનાં છે. ચંદુભાઇ મુળ સૌરાષ્ટ્રના ધ્રાંગધ્રાના વતની છે. સોમપુરા બ્રાહ્મણો પૌરાણિક કાળથી મંદિર નિર્માણનાં કાર્ય સાથે જોડાયેલા છે. તેઓએ લંડન, અંબાજી, સોમનાથ સહિતનાં ઐતિહાસિક મંદિરો માટે પણ કામ કર્યુ છે. તેમ મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું.

(3:30 pm IST)