Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

પ્રદેશ ભાજપ મહામંત્રી તરીકે નીતિનભાઇ ભારદ્વાજની વરણી કરો

રાજકોટ મ્યુ. કોર્પોરેશનના સફાઇ કામદાર એસોસીએશન દ્વારા રજૂઆત કરાશે

રાજકોટ તા. ૪ :.. રાજકોટ મ્યુ. કોર્પોરેશન સફાઇ કામદાર એસોસીએશન દ્વારા પ્રદેશ ભાજપ મહામંત્રી તરીકે નીતિનભાઇ ભારદ્વાજની નિયુકત કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નવનિયુકત પ્રદેશ પ્રમુખ આર. સી. પાટીલને આગામી દિવસોમાં રજૂઆત કરવામાં આવશે.

આ અંગે રાજકોટ મ્યુ. કોર્પોરેશનની સફાઇ કામદાર એસોસીએશનની યાદીમાં જણાવ્યું હતું કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સફાઇ કામદાર એસોસીએશન ના પ્રતિનિધીઓ તેમજ રાજકોટ શહેર સમગ્ર વાલ્મિકી સમાજના આગેવાનઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધીઓની એકયાદી જણાવેલ છે કે, આગામી સમયમાં ગુજરાત  ભાજપ પ્રદેશના હોદેદારોની વરણી કરવામાં આવનાર હોય તો પ્રદેશ મહામંત્રી તરીકે નીતિનભાઇ ભારદ્વાજની નિયુકત કરવા ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ તેમજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વિવિધ સંસ્થાઓના પ્રતિનિધીઓ તેમજ રાજકોટ શહેરના આગેવાનો યુનિયન મંત્રી શંકરભાઇ વાઘેલા, પ્રવિણભાઇ સોઢા, દિપકભાઇ વાઘેલા, પટેલ મુનાભાઇ વાઘેલા, ગોવિંદભાઇ સોલંકી, કાળુભાઇ કે. વાઘેલા, ભરતભાઇ વાઘેલા, ભવાનભાઇ શિંગાળા, તુલસીભાઇ બી. વાળોદરા, ચંદુભાઇ વાઘેલા, જગદીશભાઇ ખખ્ખર, સહિતના આગેવાનો દ્વારા તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધીઓ દ્વારા લેખિત પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવશે. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

(3:56 pm IST)