Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

ઢોર પકડ પાર્ટીની દાદાગીરી સાબિતઃ સ્ટે. ચેરમેન ઉદય કાનગડે વાછડી છોડવા સૂચના આપી

સ્ટેન્ડીંગ ચેરમેન, ડે. મેયર અને શાસક પક્ષ નેતાની સ્થળ તપાસમાં ભાંડો ફૂટયોઃ માલધારી સમાજે પદાધિકારીઓનો આભાર માન્યો

રાજકોટ, તા. ૪ :. આજે સવારે ઢોર પકડ પાર્ટીએ શહેરની હદ બહાર ખાનગી વંડામાંથી વાછડી સહિત ઢોર પકડી અન્યાય કર્યાની માલધારી સમાજે મેયર ચેમ્બરમાં ઉગ્ર રજૂઆત કરી હતી. જેથી સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદય કાનગડ, ડે. મેયર અશ્વિન મોલિયા, શાસક નેતા દલસુખ જાગાણીએ કોંગ્રેસના રણજીત મુંધવા તથા માલધારી ભાઈ-બહેનો સાથે જે સ્થળેથી ઢોર પકડાયા હતા તેની સ્થળ તપાસ કરતા આ સ્થળ હદ બહાર હોવાનું અને ત્યાંથી એક 'વાછડી' પકડી હોવાનું બહાર આવતા સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઈ કાનગડે આ બાબતે ઢોર પકડ પાર્ટીના અધિકારીઓને કડક ભાષામાં સૂચના આપી અને શહેરના રાજમાર્ગો અને ટી.પી. રોડ ઉપરથી ઢોર પકડવા સૂચના આપી હતી અને આજે હદ બહારથી પકડાયેલ 'વાછડી' છોડી મુકવા સૂચના આપતા માલધારીઓએ સૌ પદાધિકારીઓ પ્રત્યે આભાર વ્યકત કર્યો હતો તેમ રણજીત મુંધવાએ જણાવ્યુ હતું.(૨-૨૫)

 

(4:08 pm IST)