Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

૪૭ વર્ષ બાદ ભૂતપૂર્વ બી.એડ.ના વિદ્યાર્થીઓનું સ્‍નેહમિલન

રાજકોટઃ અહિંની સિંહાર સ્‍કૂલ ખાતે શ્રી આર.પી. અનડા મહાવિદ્યાલય- બોરસદના ભૂતપૂર્વ બી.એડ.સ્‍ટુડન્‍ટસનો સ્‍નેહમિલનનો કાર્યક્રમ અકાળે અવસાન પામેલા બી.એડ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ બે મિનિટ મૌન પાળીને શ્રધ્‍ધાંજલી અર્પિત કરવામાં આવી હતી. દીપપ્રાગટય શ્રીમતી સવિતાબેન ઠુંમર અને શ્રીમતી રંજનબેન ભટ્ટએ કર્યું હતું. મહાનુભાવોને અશરફ ચુડાસમાએ સન્‍માનિત કર્યા હતા. આ   સ્‍નેહમિલન  ૪૭વર્ષ બાદ યોજાયેલ હોય, બધા જ સહાધ્‍યાયીઓએ પોતાની ત્‍યારની તેમજ હાલની સ્‍થિતિ અંગે સવિસ્‍તાર વર્ણન કરીને સમગ્ર વાતાવરણને ભાવવિભોર બનાવી દીધું હતું.

(3:13 pm IST)