Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ફુલછાબ ચોકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા જગન્નાથજી રથયાત્રાનું સ્વાગત

રાજકોટ : અષાઢી બીજ નિમિતે ભગવાન શ્રી જગન્નાથજીની નિકળેલ રથયાત્રા ફુલછાબ ચોક, સદર ખાતે આવી પહોંચતા મુસ્લિમ બિરાદરોએ ભાવભીનું સ્વાગત કર્યુ હતુ. રથયાત્રામાં સામેલ સંતો મહંતો, સંચાલકો અને કાયદો વ્યવસ્થાની પરીસ્થીતી જાળવવા બદલ સર્વશ્રી ચમનભાઇ સિંધવ, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર, મનોહરસિંહ જાડેજા, પ્ર-નગર, પી.આઇ. બી. કે. કાતરીયા અને અન્ય પોલીસ મિત્રોનું પણ આ તકે સન્માન કરાયુ હતુ. આ સમયે શિવસેનાના જીમ્મી અડવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રાના સ્વાગત માટે ઠંડા પીણા અને સરબતની વ્યવસ્થા કરાઇ હતી. પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવેલ. બેનરો લગાવી કોમી એકતા પ્રદર્શીત કરાઇ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મુસ્લિમ અગ્રણીઓ સર્વશ્રી યુનુસભાઇ જુણેજા (લકકી), હબીબભાઇ ગનીબાપુ કટારીયા, ફારૂકભાઇ બાવાણી, રજાકભાઇ જામનગરી, ફારૂકભાઇ કટારીયા, ઇસ્માઇલભાઇ પરાસરા એડવોકેટ, હનીફભાઇ ઠેબા, લોઇડભાઇ દલવાણી, ઇમરાનભાઇ પરમાર, સોયેબભાઇ ચૌહાણ, ઇસુબભાઇ મકરાણી, અલીભાઇ કટારીયા, ઇકબાલભાઇ ચૌહાણ, ગફારભાઇ કટારીયા, અનુભાઇ સુમરા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:06 pm IST)