Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે રથયાત્રા ઉત્સવની ઉમંગભેર ઉજવણી

રાજકોટ : અષાઢી બીજના જગન્નાથજીની રથયાત્રાનો ઉત્સવ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ઉમંગભેર ઉજવાયો હતો. સેવા, ભકિત અને સમર્પણ જેવા અનેક સાંસ્કૃતિક મૂલ્યોને જીવંત રાખતા આવા તહેવારો અંગે અહીં માર્ગદર્શન અપાયુ હતુ. ભગવાન સ્વામીનારાયણે આ ભારતીય ઉત્સવોની સંસ્કૃતિને સદાય જીવંત રાખી છે. ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા અષાઢી બીજના અવસરે રથયાત્રા ઉત્સવ ગોઠવવામાં આવ્યો હતો. શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, સંતનિર્દેશક પૂ. અપૂર્વમુનિ સ્વામી અને હરીભકતોએ  ભગવાનના રથને ખેંચીને હંકારવાનો લ્હાવો લીધો હતો. સાંજે પ.૩૦ વાગ્યે મંદિરેથી રથને પ્રસ્થાન કરાવી અક્ષર માર્ગ, અમીન માર્ગ, કોટેચા ગર્લ્સ સ્કુલ થઇ નીજ મંદિરે શોભાયાત્રાને વિરામ અપાયો હતો. મંદિરના પ્રાંગણમાં ઠાકોરજીને મયુરાકાર ઇલેકટ્રીક રથમાં બેસાડી વિહાર કરાવવામાં આવ્યો હતો. વિશાળ સંખ્યામાં હરીભકતોએ આ ઉત્સવનો લ્હાવો લીધો હતો.

(3:58 pm IST)