Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

રવિવારે એકયુપંકચરનો નિઃશુલ્ક કેમ્પ : ડો.મંથન ઠક્કર સેવા આપશે

રાજકોટ, તા. ૫ : એકયુપંકચરીસ્ટ ડો.મંથન ઠક્કર દ્વારા એકયુપંકચરનો ફ્રી સારવાર કેમ્પ તા.૭ના રવિવારે સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ કલાકે આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પ દરમિયાન નિદાન તેમજ સારવાર તદ્દન નિઃશુલ્ક છે. એકયુપંકચરની સારવાર સોય દ્વારા આપવામાં આવે છે. જે આપણા શરીરમાં રહેલ ઉર્જાને નિયંત્રીત કરે છે. એકયુપંકચર દ્વારા અનેક રોગોની સારવાર થઈ શકે છે.  આ ફ્રી કેમ્પનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન (મો.૯૪૨૭૨ ૬૪૩૬૦) ઉપર કરાવવુ જરૂરી છે. સ્થળ : નિડલ એકયુપંકચર સેન્ટર, સૌરાષ્ટ્ર હાઈસ્કુલની સામે, સાંઈબાબાના મંદિરની બાજુમાં, કોટેચા ચોક, રાજકોટ હોવાનું યાદીમાં જણાવાયુ છે.

(3:56 pm IST)