Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

રાજકોટ તાલુકાના પ્રમુખ વલ્લભભાઈ સેખલીયા જૂનાગઢ જિલ્લા કિશાન મોરચાના પ્રભારી બન્યા

રાજકોટ, તા. ૫ : ગુજરાત પ્રદેશ ભાજપા કિશાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી બાબુભાઈ જેબલીયાએ રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી ડી.કે. સખીયા, મહામંત્રી સર્વશ્રી ભાનુભાઈ મેતા, જયંતિભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા સાથે વિચાર વિમર્શ કરી રાજકોટ તાલુકાના પ્રમુખ વલ્લભભાઈ સેખલીયા (મો.૯૪૨૬૯ ૦૫૬૯૯)ની જૂનાગઢ જીલ્લાના કિશાન મોરચાના પ્રભારી તરીકે વરણી કરવામાં આવેલ છે.

શ્રી સેખલીયા ૧૯૯૫થી ૨૦૦૦ સુધી રાજકોટ તાલુકા પંચાયતના સદસ્ય, ૨૦૦૦ થી ૨૦૦૪ સુધી કિશાન સેલના કન્વીનર, ૨૦૦૪થી ૨૦૧૬ સુધી રાજકોટ જીલ્લા કિશાન મોરચાના જીલ્લા પ્રમુખ, ૨૦૧૬થી રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ, ૨૦૧૭થી પ્રદેશ કિશાન મોરચા દ્વારા જૂનાગઢ જીલ્લા કિશાન મોરચાના પ્રભારીની જવાબદારી, ૨૦૧૮થી ગુજરાત નશાબંધી અને આબકારી બોર્ડ મેમ્બર, એટીવીટી સદસ્ય, રાજકોટ જીલ્લા પોલીસ સલાહકાર સમિતિમાં મેમ્બર તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.

રસાયણયુકત ખાતરનો ઉપયોગ ઘટાડીને ખેડૂતોને ઓર્ગેનીક ખેતી તરફ વાળવા માટે સરકારે સેમીનારો યોજીને ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન પૂરૂ પાડ્યુ તેને કારણે આજનો ખેડૂત ઓર્ગેનીક ખેતી તરફ વળ્યો છે. જે ગુજરાતની મોટી સિદ્ધિ હોવાનું તેઓએ જણાવેલ. તેમ પ્રેસ મીડીયા ઈન્ચાર્જ અરૂણભાઈ નિર્મળે અખબારી યાદીમાં જણાવ્યુ છે.

(12:50 pm IST)