Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

કીટીપરામાં રામેશ્વર ટ્રસ્ટ દ્વારા રાહત કીટનું વિતરણ

કીટીપરા આવાસ યોજનામાં રહેતા પરીવારોને જોન-ર ડી.સી.પી. મનમોહનસિંહ જાડેજા સાહેબ-એ.સી.પી. પી. કે. દીયોરા, પી.આઇ. શ્રી વી. એસ. વણજારા ના હસ્તે રાહત કીટોનું વિતરણ કરવામાં આવેલ. વોર્ડ નં. ૩ માં આવેલ કીટીપરા આવાસ યોજના વિસ્તારમાં કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા રપપ પરીવારને મહામારીના સમયમાં ઉપરોકત જરૂરીયાતમંદ પરીવારોને જીવન નિર્વાહ માટે ઘઉંનો લોટ-ખીચડી-ચોખા-તેલ-તુવેરદાળ-ચા, ભુકી-ખાંડ-મરચુ-હળદર-ધાણાજીરૂ-મીઠુ-રાય-પૌવા-મમરા-નાવાના સાબુ-કપડા ધોવાના સાબુ-ડુંગળી-બટેટા વિગેરે આવશ્યક વસ્તુઓનો આપવામાં આવેલ તેમજ દુધ અને છાસ દરરોજ વિતરણ કરવામાં આવેલ. આ સેવાકાર્યમાં રામેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હેમુભાઇ પરમાર, રાકેશભાઇ પોપટ, હશુભાઇ ભગદે, જતીન ગણાત્રા, જગદીશભાઇ ભોજાણી, ભરતભાઇ કોટક, રવીલાલ, મનોજલાલ, ફેનીલ રાઠોડ, વિજયભાઇ પટેલ, જીજ્ઞેશ પ્રજાપતી, ગજેન્દ્રસિંહ જાડેજા, રસીકભાઇ વાંઝા, જયેશભાઇ કોટક, જનકભાઇ ભટ્ટ, મહેન્દ્રભાઇ નકુમ, જયેશ કીપલાણી, સંજય દવે, અશ્વીન પરમાર, સુનીલ ટેકવાણી વગેરે કાર્યકર્તાઓ જોડાયેલ તેમજ ડીસ્ટાફ યુવરાજસિંહ જવુભા જોડાયેલ.

(3:55 pm IST)