Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

ર કરોડનાં નવા પાંચ બગીચા સહિત કોર્પોરેશનનાં ૯પ કરોડનાં વિકાસ કામોનું મુખ્યમંત્રીનાં હસ્તે ખાતમુર્હૂત થશે

મેયર ગાંધીનગર દોડી ગ્યાઃ મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવ્યુ

રાજકોટ તા. પ :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા આગામી ટૂંક સમયમાં ૯પ.૦૯ કરોડનાં વિકાસ કામોનાં ખાતમુર્હૂત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે કરાવવામાં આવનાર છે. આ માટે આજે મેયર ડો. જૈમન ઉપાધ્યાય ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીને આમંત્રણ પાઠવવા માટે દોડી ગ્યા હતાં.

જે ખાતમુર્હુત થવાના છે તેમાં બજરંગવાડીમાં ૮૦ લાખનો થીમપાર્ક, વોર્ડ નં. ૩ માં રૂ. પ૬ લાખનું બાલ ક્રિડાંગણ, ત્થા રૂ. ૬ર લાખનું બાલક્રિડાંગણ, અને ન્યારી ૧ ડેમ પાસે રૂ. ૪પ લાખનો બગીચો આ તમામ મળી કુલ ર.૭૧ કરોડનાં નવા બગીચાઓનાં ખાત મુર્હૂત મુખ્યમંત્રીશ્રીનાં હસ્તે કરાવવા ઉપરાંત મહીલા સ્વીમીંગ પુલ, અને શેઠ હાઇસ્કુલનું નવું બિલ્ડીંગ ત્થા ૧ર૦૦ જેટલાં આવાસો વગેરેનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીનાં હસ્તે થશે. આમ ઉપરોકત  તમામ મળી કુલ ૯પ.૯ કરોડનાં મ્યુ. કોર્પોરેશનનાં વિકાસ કામોનાં ખાતમુર્હુતો અને લોકાર્પણો થશે.

આ ઉપરાંત શહેરી પોલીસ વિભાગના રૂ. ૪.૪૭ કરોડ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના રૂ. ૯.૬૭ કરોડ, શહેરી માર્ગ અને મકાન વિભાગના રૂ. ર૦.૮ કરોડ, મળી કુલ રૂ. ૧૩૦.૦૧ કરોડના જુદા જુદા વિકાસ કામોના તથા લોકાર્પણ કરવાના થાય છે. આ કામોનું લોકાર્પણ તથા ખાત મુર્હુત મુખ્યમંત્રીનાં હસ્તે થાય તે માટે આજે મેયરે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવ્યુ હતું. (પ-ર૪)

(3:43 pm IST)