Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રેલનગરના કાંતાબેન પ્રજાપતિનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૫: રેલનગર પાસે ક્રિષ્ના બંગલો-૩માં રહેતાં કાંતાબેન નારણભાઇ ટાંક (ઉ.૫૮) નામના પ્રજાપતિ વૃધ્ધા રાત્રે એકાદ વાગ્યે છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્ર છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ પ્ર.નગરમાં જાણ કરી હતી.

(3:40 pm IST)