Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

દિનેશ અમૃતિયાની કદરઃ પ્રદેશ ભાજપની કારોબારીમાં નિમણુંક

રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ ખજાનચી

રાજકોટ તા. પઃ જિલ્લા ભાજપના ભૂતપૂર્વ ખજાનચી દિનેશ અમૃતિયાની પ્રદેશ પ્રમુખે પ્રદેશ કારોબારી સભ્ય તરીકે નિમણુંક કરી છે. તેઓ અગાઉ પાર્ટીના જિલ્લા મંત્રી અને લઘુમતી મોરચાના ધોરાજી-ઉપલેટાના પ્રભારી મોરચાના તરીકે રહી ચુકયા છે. મુળ ભાયાવદરના વતની છે. પરિશ્રમ અને કમળ પ્રત્યેની વફાદારીથી તેઓ કાર્યરત રહ્યા છે. બિલ્ડીંગ વ્યવસાય સાથે સંકળાયેલા છે. પ્રદેશ કક્ષાએ માનભર્યું સ્થાન મળતા તેમને અભિનંદન (મો. ૯૮રપર ર૮પ૪૮) મળી રહ્યા છે.

(3:04 pm IST)