Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

રાજકોટવાસીઓ દીવડા પ્રગટાવીને એકતાના કરાવ્યા દર્શન :ઘર-બાલ્કની -શેરીઓમાં દીપનો પ્રકાશ પાથર્યો

રામપીર ચોકડી ઓમ પેટ્રોલ પંપની બહાર મીણબત્તીઓ પ્રગટાવી અંગ્રેજીમાં મોદી લખી વડાપ્રધાનની અપીલને કર્યું સમર્થન

રાજકોટ : આજે રવિવારે રાત્રે દિપક પ્રજ્વલ્લીત કરીને દેશની એકતાના અનેરા દર્શન કરાવાયા હતા રાજકોટમાં તમામ સોસાયટીઓમાં ઘર-ફ્લેટમાં દિપક પ્રગટાવીને કોરોના સામે પ્રકાશ ફેલાવ્યો હતો આજે 9 વાગ્યાથી 9 મિનિટ સુધી લોકો દિવડા પ્રગટાવવા કહેવાયું હતું પ્રધાનમંત્રીની આ અપીલ બાદ સમગ્ર દેશમાં લોકોએ સમર્થન આપતા દિવડા પ્રગટાવ્યા છે અને લોકોએ પોતાના ઘરે દિવાઓ પ્રગટાવ્યા છે

રાજકોટના રામપીર ચોકડી ઓમ  પેટ્રોલ પંપની બહાર મીણબત્તીઓ પ્રગટાવવામાં આવી... અંગ્રેજીમાં મોદી લખી વડાપ્રધાનની વાતનું કરવામાં આવ્યું સમર્થન...

(9:33 pm IST)