Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

રાજકોટના જાગનાથ વિસ્તારનાં કોરોનાં પોઝીટીવ માતા-પુત્ર સાજા થઇ ગ્યા : હોસ્પિટલેથી ઘરે જવા રજા અપાઇ

રાજકોટ : શહેરનાં જાગનાથ વિસ્તારમા ૭પ વર્ષમાં વૃધ્ધ અને તેના યુવાન પુત્રને કોરોનાં પોઝીટીવ આવતાં હોસ્પિટલે આઇસોલેકશન વોર્ડમાં રખાયેલ. જયાં સારવાર દરમિયાન તેઓની તબીયત સુધરી હતી અને આ બધા દર્દીઓનાં ગઇકાલે લીધેલા ટેસ્ટ નેગેટીવ આવતાં આ બન્ને માતા-પુત્રને હોસ્પિટલેથી ઘરે જવા માટે રજા અપાયાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યુ. આમ રાજકોટના ૩ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

(3:19 pm IST)