રાજકોટ તા. પ :.. ઓર્ગેનીક ટૂકડા ઘઉં, કપડાથી થેલી, વિવિધ દેશી પીણાના પાવડરો અને સુપ, માટી વિના મુલ્યે, વિવિધ માટીના વાસણો રાહત દરે વિતરણ અને આંબલવાણું વિનામુલ્યે આપવામાં આવશે.
દેશી ગાયનું ઘી ૧ કિલોના રૂ. ૮૦૦, વિવિધ જાતના લોખંડના વાસણો મળશે, વિવિધ જાતના ફાળો રાહત દરે મળશે., વિવિધ જાતના શાકભાજી ખેડૂતો સીધા વેચવા આવશે., વિવિધ જાતના ફુલછોડનું રાહત દરે વિતરણ, ઓર્ગેનીક મગ-૧ કિલોના રૂ. ૮૦, રાહત દરે લીંબડા સાબુ, આદુ ૧ કિલોના રૂ. ૬૦, આંબલીનું વેચાણ-૧ કિલોના રૂ. ૪૦, દેશી મુખવાસ, વિવિધ જાતના માટીના વાસણો માત્ર રૂ. ૧૦, લીલા નાળીયેર કિંમત રૂ. ર૦, પુઠાના ચકલી ઘર, ચકલી ઘર રૂ. ૧૦, પ્લાસ્ટીકના પોર્ટેબલ ચબુતરા કિંમત રૂ. ૧૦, તરબુચ-૧ કિલોના રૂ. ર૦, બીજોરાનું સરબત રૂ. ૧૦, હાથ વણાટના પાપઙ
ઓર્ગેનીક ટૂકડા ઘઉં : દાતરડાથી વાઢેલા અને ઓપનરથી કાઢેલા ઘઉં કે જે ઓર્ગેનીક રીતે તૈયાર થયેલા છે. કાલાવડના ખેડૂત સીધા વેચવા આવશે. ચોખ્ખા ચણાક ઘઉં એક મણ ના રૂ. પરપ,
કપડાની થેલી : લોકોને રોજગારી મળે અને પ્લાસ્ટીકનો વપરાશ બીલકુલ બંધ થાય તે માટે સારા કપડામાંથી તૈયાર કરેલ થેલી રૂ. પ, અને ર૦ અહીં વેચાઇ છે. આથી ખરીદી કરી આપ વિતરણ કરી પ્લાસ્ટીકનો વપરાશ બંધ થાય તે માટે સહયોગ આપવો એ આ સમયની જરૂરીયાત છે.
આંબલવાણું : પાકી-ખાટ્ટી આંબલીમાંથી બનાવેલું આંબલવાણું કે જેમાં ઓર્ગેનીક દેશી ગોળ ભેળવીઆ સરબત તૈયાર કરેલ છે. તે પીવાથી લુ નથી લાગતી અને કબજીયાત દૂર થાય છે. શરીરમાંથી પીતનું સમન થાય છે. તજા ગરમી વાળા માટે આ સરબત ખુબ જ ગુણકારી છે.
દેશી બીયારણ : વિવિધ જાતના શાકભાજીના બીયારણો જેવા કે દૂધી, રીંગણા, ચોળી, સરગવો, પપૈયા, ગાજર, પાલક પેકેટની કિંમત માત્ર રૂ. ૧૦ દેશી બીયારણો ખતમ થતા જાય છે તેની જાળવણી થાય તે માટે આપ આ બીયારણ વાવી દેશી બીયારણને બચાવવાનું ઝૂંબેશમાં સહયોગ આપશે.
આદુ : આદુનું સેવન કરવાથી કફ અને પીતમાં ખુબ જ ફાયદો થાય છે પાચન ક્રિયા સુધરે છે. સ્થુળતા, જાડાપણું અને મેદ ઘટાડે છે. હૃદયને ફાયદો કરે છે. ફેફસામાં કફના ઝાડા તોડે છે. વધુ પ્રમાણમાં પેશાબ લાગે છે. છાતીમાંથી શરદી કાઢે છે. આમવાત (એસીડીટી) સોજા મટાડે છે. લોકો વધુમાં વધુ આદુનો વપરાશ કરતા થાય એવા પ્રયત્નો સતત અમારા તરફથી કરવામાં આવે છે. આપ પણ આદુનો પ્રચાર કરી સેવા કરી શકાય.
અગરબતી : ઘર બેઠા રોજગારીનું નિર્માણ થાય તેવા હેતુથી આ ગાય આધારિત અગરબતીઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે, આપ આ અગરબતીઓ લઇ આડકતરી રીતે રોજગારી નિર્માણમાં યજ્ઞમાં સહકાર આપશો.
ફુલછોડ : કાશ્મીરી અને ઇંગ્લીશ ગુલાબ (૧પ જાતના રંગ વાળા)ફુલોના ગુલાબના રોપા તથા મોગરો, મયુર પંખ, રાતરાણી, કિસમસ ટ્રી, એકઝોરા, ક્રોટોન આમ વિવિધ જાતના રોપાઓ બજાર કિંમતથી અડધી કિંમતે મળશે.
એલોવેરા જેલઃ એલોવેરા જયુસ સપ્તચૂર્ણ રાહત દરે મળશે. લીંબડા સાબુ તેમજ કોપરેલ સાબુ.
મધ (પ્રવાહી સોનું) અહીં માત્ર રૂ. ર૪૦ ના કિલોના હિસાબે વેચાણ થવાનું છે. આ મધના સેવનથી વજન ઘટે છે., લીવર-કિડનીને ફાયદો કરે છે. ચરબી ઓછી કરે છે, કબજીયાત દુર થાય છે.
હાથલા થોરના ફળમાંથી બનાવેલ સરબતની બોટલો બજારમાં રૂ. ર૦૦ ની મળે છે અને અંદર કેમીકલ નાખેલું હોય છે. જયારે આ બોટલમાં કેમીકલ બીલકુલ નાખેલ નથી, પુરેપુરૂ કુદરતી છે અને રૂ. ૧૦૦ માં સરબતની બોટલનું વેચાણ થાય છે.
રાહત દરે વિતરણ : (૧) આમળાં પાવડર (ર) પંચામૃત પાવડર (૩) ઠંડાઇ પાવડર (દૂધ સાથે લેવું) (૪) ફુદીના પાવડર (પ) લેમન હરબલ ટી પાવડર (૬) લીંબુ પાવડર (૭) ગુલાબ પાવડર (દૂધ સાથે લેવું) (૮) કાચી કેરીનો પાવડર (૯) લીંબુ જીંજર પાવડર આ પાવડરો ૧૦૦ ટકા ઓર્ગેનીક છે અને પ્રવાસમાં આ પાવડરો ખૂબ જ કામ આવે છે અને તાત્કાલીક સરબત બનાવી શકાય છે અને સ્ફૂર્તિ મળે છે અને આ ખેત પેદાશમાં તૈયાર થયેલી વસ્તુ હોય આ વસ્તુઓ વાપરવાથી ખેડૂતોને આડકતરી રોજગારી મળતી હોય છે. એક નાનું પેકેટ રૂ. ૧૦ માં મળતું હોય છે અને એક બોક્ષમાં ૧૦ પેકેટ આવતા હોય છે.
સુપ : પાણી ઉકાળી તેમાં પાવડર ભેળવવો એક કપમાં અડધી ચમચીના હિસાબે.
૧. પાલક સુપ, કારેલા સુપ, મકાઇ સુપ, ટમેટા સુપ :- ભુખ લગાડે, શકિત વધારે, લોહી શુધ્ધ કરે, વિટામીન-સી મળે છે.
સુપના પાવડરો ૧ પેકેટના રૂ. ૩૦ લેખે મળશે.
બધા જ સુપો ૧૦૦ ટકા નેચરલ છે, દરેક સુપના પાવડરમાં કલર, ફલેવર કે કેમીકલનો ઉપયોગ કરેલ નથી.
સ્થળ ૧પ૦ ફુટ રીંગ રોડ, નાના મવા સર્કલ, બી.આર. ટી. એસ. બસ સ્ટેન્ડ સામે, પેટ્રોલ પંપની બાજુમાં રાજકોટ ખાતે તા. ૮-૪-ર૦૧૮ (દર રવિવાર,રાજકોટ), સમય સવારે ૯ થી ૧ દરમિયાન કાર્યક્રમ યોજાશે. વધારે વિગતો માટે વી. ડી. બાલા, મો. ૯૪ર૭પ ૬૩૮૯૮ નો સંપર્ક થઇ શકે છે.