Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

સહકારી અગ્રણી જયોતિન્દ્રમામાએ કોરોના રસી મુકાવી

 

રાજકોટઃ સહકારી અગ્રણી રાજકોટ નાગરીક બેંક લી.ના પૂર્વ ચેરમેન અને ડિરેકટર જયોતિન્દ્રભાઇ મહેતાએ કોરોના રસી મુકાવી છે. રસીકરણ બાદ પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે સમગ્ર વ્યવસ્થા ખુબ જ સરળ અને સાનુકુળ છે. રસી મુકાવ્યા બાદ રોજ બરોજના કાર્યોમાં કોઇપણ અડચણ આવતી નથી. વૈશ્વિક મહામારી કોરોના સામે લડવા રસી મુકાવી જરૂરી છે. સહુને ડર વિના રસી મુકાવવા અનુરોધ કર્યો હતો.

(4:45 pm IST)