Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

રાજકોટ સિવિલમાં ઓક્સિજનના અભાવે મહિલા દર્દીનું મોત : હોસ્પિટલ તંત્રની બેદરકારીનો મહિલા બની ભોગ

રાજકોટ : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અવારનવાર સુવિધા અને તબીબોની અછત કે આરોગ્યલક્ષી સેવાની ત્રુટિ અંગે રાવ ઉઠતી હોય છે દર્દીના સગા કે પરિવારજનો દ્વારા તબીબોની બેદરકારીના આક્ષેપો પણ થતા હોય છે ત્યારે  શનિવારે ઓક્સિજનના અભાવે સિવિલ હોસ્પિટલમાં એક મહિલા દર્દીનું મોત નીપજ્યું છે.

   હોસ્પિટલ તંત્રની બેદરકારી અને લાલિયાવાડીએ આ મહિલા દર્દીનો ભોગ લીધો છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ રાજ્યમાં અને દેશભરમાં ઓક્સિજનના અભાવે માસુમ બાળકોથી માંડીને વૃદ્ધો સુધી અનેક દર્દીઓએ પોતાન જીવ ગુમાવ્યા છે.

 

(9:10 am IST)