Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

દક્ષિણ ભારતની શ્રી યોગાનંદેશ્વર સરસ્વતી મઠ-કૃષ્ણરાજનગરમ્ પીઠના પૂ. શંકરાચાર્યજી મહારાજના આર્ષ વિદ્યા મંદિર મુંજકામાં પધરામણી

આર્ષ વિદ્યા મંદિર, મુંજકા, રાજકોટ ખાતે ગઈકાલે દક્ષિણ ભારતની શ્રી યોગાનંદેશ્વર સરસ્વતી મઠ, કૃષ્ણરાજનગરમ્ પીઠના પ.પૂ. શંકરાચાર્યજી મહારાજની પધરામણી સાંજે ૫ વાગ્યે થઈ હતી. આજે સવારે આર્ષ વિદ્યા મંદિર મુંજકા ખાતે તેમનો સત્સંગ યોજાયો હતો. જેમા ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અને સત્સંગ તથા આશિર્વચનનો લાભ લીધો હતો. તસ્વીરમાં પૂ. શંકરાચાર્યજી મહારાજ તથા તેમના સેવકો અને ભાવિકો નજરે પડે છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:16 pm IST)