Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

વાલ્મિકી સમાજના યુવા આગેવાન દંડવત કરતા... કરતા...માલપૂરથી ગાંધીનગર પહોંચી આવેદન આપશે

સફાઈ કામદારના પ્રાણપ્રશ્ને દંડવત યાત્રા શરૂ પણ કરી દીધી : ડાયરેકટ મુખ્યમંત્રીને રજૂઆતો કરશેઃ સરકાર માંગણી સ્વીકારેઃ કલેકટરને આવેદન

રાજકોટ, તા. ૫ :. વાલ્મિકી સેના રાજકોટ એકમે કલેકટરને આવેદન પાઠવી ઉમેર્યુ હતુ કે વાલ્મિકી સમાજના યુવા આગેવાન શ્રી લાલજી ભગત અરવલ્લી જિલ્લાના માલપુર ગામથી વાલ્મિકી સમાજના પ્રાણ પ્રશ્નો માટે વાલ્મિકી સમાજના સફાઈ કામદારોને ન્યાય માટે સફાઈ કામદારોની નગરપાલિકા તેમજ સરકારી કચેરીઓમાં કોન્ટ્રાકટની જગ્યાએ કાયમી કરવા જોઈએ અને કોન્ટ્રાકટને બદલે કાયમી રોજમદાર તરીકે કામ પર રાખવા જોઈએ, તેવી માંગણી સામે દંડવત થઈને ગાંધીનગર જવા નીકળ્યા છે. તેઓ સમાજના લડાયક યુવા નેતા છે, માલપુરથી દંડવત થઈને ગાંધીનગર આવી રહ્યા છે, તો વાલ્મિકી સમાજના પ્રશ્ન માટે આપની સરકારે તાત્કાલીક લાલજી ભગતની માંગ સ્વીકારીને યોગ્ય ન્યાય આપવા માંગણી છે. રજૂઆત સમયે બટુકભાઈ વાઘેલા તથા અન્યો જોડાયા હતા.

(2:45 pm IST)