Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

મનહરપુર-રોણકી ટી.પી નો ડ્રાફટ તૈયાર : ૧૨મીએ જમીન માલીકો સાથે બેઠક

'રૂડા'ની સુચિત ટીપી નં.૩૮/૨નો ઇરાદો જાહેર થયા બાદ તાત્કાલીક ડ્રાફટ સ્કીમ તૈયાર કરાવતા ઇન્ચાર્જ ચેરમેન ઉદિત અગ્રવાલ તથા સી.ઇ.ઓ ચેતન ગણાત્રા

રાજકોટ,તા. ૫: ગુજરાત સરકારશ્રી દ્વારા રાજયના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોનો ઝડપી અને સુનિયોજિત વિકાસ થાય અને તેના માધ્યમથી પ્રગતિની નવી નવી તકોનું નિર્માણ થાય તેમજ આ સમગ્ર કવાયતથી નાગરિકોના જીવનધોરણમાં ઉત્ત્।રોત્ત્।ર સુધારો થાય અને તેઓની સુખાકારીમાં વૃદ્ઘિ થાય તેવા આશયથી ટીપી સ્કીમો લગત કાર્યવાહી ખુબ જ ઝડપી બનાવવામાં આવેલ છે. રાજકોટ શહેરી વિકાસ સત્ત્।ામંડળ (રૂડા) દ્વારા પણ ટીપી સ્કીમ બનાવવા અંગેની પ્રક્રિયાને તેજ રફતારથી આગળ ધપાવામાં આવી રહી છે. 'રૂડા'ના ચેરમેન શ્રી ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સી.ઈ.એ. શ્રી ચેતન ગણાત્રાએ 'રૂડા'ની સૂચિત ટીપી નં.૩૮/૨ (મનહરપુર –રોણકી)નો ઇરાદો તા.૧૫/૧૨/૨૦૨૦ના રોજ જાહેર કરી માત્ર એક (૧) જ મહિનાની અંદર નગર રચના યોજનાનો ડ્રાફ્ટ તૈયાર કરી તા.૧૨/૧/૨૦૨૧ના રોજ જમીન માલિકોની સભાનું આયોજન કરેલ છે.

'રૂડા'ની સૂચિત ટીપી નં.૩૮/૨ (મનહરપુર –રોણકી)નું કુલ ક્ષેત્રફળ આશરે ૨૯૩ હેકટર જેટલું થાય છે. આ ટીપી સ્કીમ મંજુર થયેથી સમગ્ર વિસ્તારનો સુનિયોજિત ઢબે વિકાસ થઇ શકશે. બિનખેતી નહી થયેલા વિસ્તારોમાં રોડ રસ્તા અને કોમન પ્લોટ સુનિશ્યિત કરી લેવાતા વિકાસ પ્રક્રિયાને ગતિ મળે છે.

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ તથા નિયમો-૧૯૭૯ની જોગવાઈઅનુસાર નક્કી કરેલ વિસ્તારની સૂચિત નગર રચના યોજના અંગે કલમ-૪૧(૧) હેઠળ મુખ્ય નગર નિયોજકશ્રીનો પરામર્શ મેળવી ઈરાદો જાહેર કરવાનો હોય છે. અધિનિયમની જોગવાઈ અનુસાર ઇરાદો જાહેર થયા બાદ નવ માસમાં ઉકત યોજનાનો ડ્રાફ્ટ તૈયાર કરી કલમ-૪૨ અન્વયે ગેઝેટમાં તેની પ્રસિદ્ઘિ કરવાની હોય છે.

ગુજરાત રાજયના માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજયના ઝડપી, સુઆયોજિત વિકાસને ધ્યાને લઈ છેલ્લા ત્રણ વર્ષમાં આશરે ૩૦૦ જેટલી નગર રચના યોજનાઓ મંજુર કરવામાં આવેલ છે. તેમના આ લક્ષ્યને સાકાર કરવાની દિશામાં રાજકોટ શહેરી વિકાસ સત્ત્।ામંડળના  અધ્યક્ષશ્રી દ્વારા વિવિધ નગર રચના યોજનાઓની કામગીરી ઝડપથી થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપી ત્વરિત કાર્ય પ્રગતિ માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે.

આ કવાયતના ભાગરૂપે 'રૂડા'ના અત્યાર સુધીના સુધીના ઈતિહાસમાં ન થયેલ હોય તેટલી પુર ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવી છે. 'રૂડા'ના સી.ઈ.એ. દ્વારા આ કાર્ય ત્વરિત ગતિએ આગળ ધપે તે માટે સતત ફોલોઅપ લેવામાં આવેતા સત્ત્।ામંડળ દ્વારા સત્ત્।ામંડળ વિસ્તારની સૂચિત નગર રચના યોજના નં.૩૮/૨(મનહરપુર –રોણકી)નો ઇરાદો તા.૧૫/૧૨/૨૦૨૦ના રોજ જાહેર કરી માત્ર એક (૧) જ મહિનાની અંદર નગર રચના યોજનાનો ડ્રાફ્ટ તૈયાર કરીલેવામાં આવેલ છે. આ ડ્રાફ્ટ અનુસંધાને આગામી તા.૧૨/૧/૨૦૨૧ના રોજ જમીન માલિકોની સભાનું આયોજન પણ રાખવામાં આવેલ છે.

જમીન માલિકોની સભા બાદ એક માસ માટે વાંધા સુચનો મંગાવામાં આવશે. વાંધા સુચનોની ચકાસણી કર્યા બાદ નિયમોનુસાર કાર્યવાહી કરી સૂચિત ડ્રાફ્ટ સ્કીમ સરકારશ્રીમાં મંજૂરી અર્થે મોકલવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા ઝડપી હાથ ધર્યેથી ઇરાદો જાહેર કર્યાની તારીખથી આ વિસ્તારની વિકાસ પરવાનગીની કામગીરી કે જે સ્થગિત થયેલ છે તે સરકારશ્રી દ્વારા ડ્રાફ્ટ સ્કીમ મંજૂર થયે પુનૅં શરૂ થઈ શકશે.જેના પરિણામ સ્વરૂપે વિકાસ પ્રક્રિયાને પણ વેગ પ્રાપ્ત થશે.

(3:56 pm IST)